News Updates
NATIONAL

જૈન મુનિ આચાર્ય વિદ્યાસાગર મહારાજે સમાધિ લીધી:છત્તીસગઢમાં ડોંગરગઢના ચંદ્રગિરી તીર્થમાં 3 દિવસના ઉપવાસ બાદ દેહ ત્યાગ કર્યો, બપોરે 1 વાગે અંતિમ સંસ્કાર વિધિ

Spread the love

દિગંબર મુનિ પરંપરાના આચાર્ય શ્રી વિદ્યાસાગર જી મહારાજે શનિવારે રાત્રે 2.35 વાગે છત્તીસગઢના ડોંગરગઢમાં ચંદ્રગિરિ તીર્થ ખાતે દેહ છોડ્યો હતો.

પૂર્ણ જાગૃતિની સ્થિતિમાં, તેમણે આચાર્ય પદનો ત્યાગ કર્યો અને 3 દિવસ માટે ઉપવાસ કર્યા અને અખંડ મૌન પાળ્યું હતું, ત્યારબાદ તેમણે પોતાના પ્રાણનો ત્યાગ કર્યા હતો.

તેમના નિધનના સમાચાર મળતા જ જૈન સમાજના લોકો ડોંગરગઢમાં ભેગા થવા લાગ્યા છે. તેમના અંતિમ સંસ્કાર આજે બપોરે 1 કલાકે કરવામાં આવશે.

ગયા વર્ષે 5 નવેમ્બરે પીએમ મોદીએ ડોંગરગઢ પહોંચીને મુનિ શ્રીના આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ તેણે સોશિયલ મીડિયા પર લખ્યું કે આચાર્ય શ્રી 108 વિદ્યાસાગર જીના આશીર્વાદ મેળવીને હું ધન્યતા અનુભવું છું.


Spread the love

Related posts

માતાએ હેવાનિયતની હદ વટાવી, 9 વર્ષના પુત્રને શારીરિક સંબંધ બનાવવા કર્યો મજબુર, ના પાડવા પર આપ્યા ડામ

Team News Updates

સિદ્ધારમૈયાનું CM બનવાનું નક્કી, ડીકે સહિત 3 DyCM:64% વસ્તી ધરાવતા 4 સમુદાયોને કોંગ્રેસ સંભાળી રહી છે, લોકસભા ચૂંટણી પર નજર

Team News Updates

કોંગ્રેસ અને AAPને લોકસભાની ચૂંટણી પહેલા વધુ એક ઝટકો, 300થી વધારે કાર્યકરો જોડાયા ભાજપમાં

Team News Updates