News Updates
NATIONAL

હવા ભરતી વખતે ટાયર ફાટ્યું, ડ્રાઈવર ઊછળ્યો CCTV:બસ સુરતથી ચુરૂ જતી હતી, બસ ચાલક હવામાં આઠ ફૂટ ઉછળીને જમીન પર પડ્યો, ઘટનાસ્થળે જ મોત

Spread the love

હવા ભરતી વખતે બસનું ટાયર ફાટ્યું. ત્યાં હાજર બસ ડ્રાઈવર હવામાં આઠ ફૂટ ઊંચે ઉલળીને નીચે પડ્યો હતો. તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. બનાવ અજમેરના રૂપનગઢનો છે. આ ઘટનાનું કંપાવતું દ્રશ્ય પંચરની કેબિન પાસે લાગેલા CCTVમાં કેદ થયું હતું.

રૂપનગઢ પોલીસ સ્ટેશનના એએસઆઈ ગોપારામે જણાવ્યું હતું કે રજવાડી ટ્રાવેલ્સની બસ સુરત અને ચુરુ વચ્ચે દોડે છે. સીકર જિલ્લાના ધૌધ નજીક ગણેશપુરા ગામમાં રહેતા ભૂરારામ જાટનો પુત્ર બોદુરામ (38) બસનો ડ્રાઈવર હતો. આ બસ સુરત-ચુરુ વચ્ચે ચાલે છે. બોદુરામ સોમવારે રાત્રે સુરતથી બસ દ્વારા નીકળ્યા હતા. તેમાં ચુરુ માટે 20-22 મુસાફરો હતા. મંગળવારે સવારે 7 વાગ્યે સ્ટેપનીના ટાયરમાં પંચર કરાવવા માટે બસને ગુજરાતી હોટેલથી થોડે દૂર આવેલી પંચરની કેબિન પાસે રોકી હતી.

ASIએ જણાવ્યું કે હોટલ પાસે રોકાયા બાદ મુસાફરો ચા-નાસ્તો કરી રહ્યા હતા. આ દરમિયાન ડ્રાઈવર બોદુરામ સ્ટેપનીનું ટાયર પંચર થઈ ગયું હતું. પંચર કર્યા પછી, હવા ભરતી વખતે અચાનક જોરથી વિસ્ફોટ થયો. બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે ત્યાં ઊભેલો ડ્રાઈવર હવામાં લગભગ 8 ફૂટ ઉછળીને જમીન પર પડ્યો હતો. તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

બસના કંડક્ટરે મૃતદેહને ટેમ્પોમાં મુકી રૂપનગઢ સીએચસી પહોંચ્યા હતા. અકસ્માતની માહિતી મળતાં રૂપનગઢ પોલીસ સ્ટેશને ઘટનાસ્થળે પહોંચી લાશને રૂપનગઢ સીએચસીના શબઘરમાં રાખી હતી. પરિવારના સભ્યો આવ્યા બાદ મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરીને પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો.


Spread the love

Related posts

હવે જોધપુર-અમદાવાદ વચ્ચે દોડશે વંદે ભારત:2 કલાકનો સમય બચશે, પાંચ સ્ટેશન પર ઊભી રહેશે; 7 ટ્રેનનો સમય બદલાશે

Team News Updates

રાજસ્થાનમાં PM બોલ્યા, કોંગ્રેસે વોટની રાજનીતિ કરી:કોંગ્રેસ ઈચ્છતી હતી કે કર્ણાટકમાં લોકોને ગોળી વાગે પણ અમે બચાવતા હતા

Team News Updates

પંકજા મુંડેએ કહ્યું- સોનિયા-રાહુલને સામેથી જોયા પણ નથી:કોંગ્રેસમાં જોડાવાની વાત અફવા; ખોટા સમાચાર ફેલાવનારાઓ સામે હું માનહાનિનો કેસ કરીશ

Team News Updates