News Updates
AHMEDABAD

મહિલા પોલીસકર્મીએ જીવન ટૂંકાવ્યું:અમદાવાદના વાસણામાં રહેતી યુવાન પોલીસકર્મીએ ઘરે ગળાફાંસો ખાધો, આત્મહત્યાનું કારણ હજુ અકબંધ

Spread the love

અમદાવાદમાં પાલડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કર્મચારીએ પોતાના વાસણા ખાતેના ઘરમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી. આ સમગ્ર ઘટનાની જાણ થતાં જ સિનિયર અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જોકે, હજુ પણ મહિલા પોલીસકર્મીએ ક્યા કારણોસર આત્મહત્યા કરી તે કારણ અકબંધ છે.

આત્મહત્યાનું કારણ હજુ પણ અકબંધ
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પાલડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ લલીતાબેન પરમાર વાસણા વિસ્તારમાં આવેલા ખોડીયાર નગરમાં રહેતા હતા. લલિતાબેને કોઈ અંગત કારણોસર ગઈકાલે પોતાના ઘરે ગળાફાસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. હાલ મૃતક પોલીસકર્મીના મૃતદેને અંતિમવિધિ માટે તેમના વતન લઈ જવામાં આવી રહ્યા છે અને આ કેસમાં તપાસ હાથ ધરી છે. જો કદાચ કોઈપણ શંકાસ્પદ વસ્તુ મળશે તો તુરંત તેમાં કાર્યવાહી કરવામાં આવશે.


Spread the love

Related posts

ફટાકડાના વેચાણ કે સંગ્રહ પહેલા જાણી લો ફાયર સેફ્ટીના આ નિયમો, નહીં તો થશે કાર્યાવહી

Team News Updates

રિપલ પંચાલના જામીન મંજૂર સાત વાહનોને અડફેટ લેનાર:અમદાવાદ ગ્રામ્ય કોર્ટે આરોપીને 15 હજારના જાત મુચરકા શરતી જામીન આપ્યા, પોલીસ આરોપીનું લાઇસન્સ રદ્દ કરશે

Team News Updates

1419 કરોડનું પેકેજ જાહેર રાજ્ય સરકારનું ખેડૂતો માટે :અંદાજે 7 લાખ ખેડૂતને મળશે લાભ 20 જિલ્લાના,8.5 લાખ હેક્ટર જમીનના ખેડૂતોને ચૂકવાશે સહાય

Team News Updates