News Updates
NATIONAL

VOTING TIME: કેમ શાહી લગાવવામાં આવે છે મતદાન કર્યા બાદ આંગળી પર,આ શાહી કેમ જલ્દી દુર થતી નથી

Spread the love

ચૂંટણીમાં ઉપયોગમાં લેવામાં આવતી શાહીની ફોર્મુલા ખુબ જ ગુપ્ત રાખવામાં આવે છે. ન તો નેશનલ ફિઝિકલ લેબોરેટરી ઓફ ઈન્ડિયા કે ન તો મૈસુપ પેન્ટ વાર્નિશ લિમિટેડે આ શાહીની ફોર્મુલાને જાહેર કર્યું છે. તો આજે જાણીએ કે, આ શાહી ક્યાં બને છે. ચૂંટણીમાં જે શાહી મૈસૂર પેન્ટ એન્ડ વાર્નિશ લિમિટેડ નામની કંપની બનાવે છે. જે કર્ણાટક રાજ્યમાં સ્થિત છે. કંપનીની સ્થાપના 1937માં તે સમયે મૈસૂરના મહારાજા નલવાડી કૃષણરાજા વડયારે કરી હતી. દેશમાં ચૂંટણીની શાહી બનાવવાનું લાઈસન્સ માત્ર આ કંપનીની પાસે છે. તેની મુખ્ય ઓળખ ચૂંટણીની શાહી બનાવવાની છે.

પહેલી વખત વર્ષ 1962ના રોજ ચૂંટણીમાં આ શાહીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.ભારતીય ચૂંટણીઓમાં વાદળી શાહીનો સમાવેશ કરવાનો શ્રેય દેશના પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર સુકુમાર સેનને જાય છે. આમ તો આ કંપની તરફથી અનેક શાહી બનાવે છે પરંતુ આની ઓળખ ચૂંટણીની શાહી બનાવવા માટે જ થાય છે.

આ શાહીની ખાસ વાત એ છે કે, તે સરળતાથી દુર થતી નથી. પાણીથી ધોયા બાદ પણ કેટલાક દિવસો બાદ આ શાહી ધીમે ધીમે આંગળી માંથી દુર થાય છે. આને બનાવવાા પાછળનો હેતુ નકલી મતદાનને રોકવાનો હતો. આ શાહી પાણીના સંપર્કમાં આવતા જ કાળી થઈ જાય છે.

ચૂંટણીમાં આ શાહીને 10 મિલીલીટરની લાખો બોટલમાં ભરી મતદાન કેન્દ્ર પર મોકલવામાં આવે છે. આનો ઉપયોગ માત્ર ભારતમાં જ નહિ પરંતુ દુનિયાભરના દેશોમાં થાય છે. તેમને જણાવી દઈએ આ શાહીને 25 થી વધારે દેશોમાં સપ્લાય કરવામાં આવે છે.

આ શાહી માત્ર 40 સેકન્ડમાં જ સુકાય જાય છે.તમને જણાવી દઈએ કે, આ શાહીમાં સિલ્વર નાઈટ્રેટ કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે. આ કેમિકલ જેવું હવાના સંપર્કમાં આવે છે તે માત્ર 40 સેકન્ડમાં સુકાય જાય છે, એક વખત સ્કિન પર લાગી જાય તે અંદાજે 72 કલાક સુધી આંગળી પરથી જતી નથી.સિલ્વર નાઈટ્રેટ આપણા શરીમાં હાજર નમક સાથે મળી સિલ્વર ક્લોરાઈડ બની જાય છે. તેના પર ન તો પાણીની અસર થાય છે ન તો તે સાબુ વડે દુર થાય છે.


Spread the love

Related posts

ગુજરાતના MLAને પાર્ટી MPમાં દોડાવશે:મધ્યપ્રદેશની ચૂંટણીનું રિયાલિટી ચેક કરવા ગુજરાતના 48 ધારાસભ્યોને કામ સોંપાયું; હાર્દિક પટેલ, કેતન ઈનામદાર, અમૂલ ભટ્ટ સહિતના નામ

Team News Updates

UJJAIN: SARDAR PATELની મૂર્તિ ટ્રેક્ટરથી તોડી પડાઈ, મક્દોનમાં ભારેલો અગ્નિ

Team News Updates

સિનેમાગૃહોમાં વેચાતી પોપકોર્ન પર GST વસુલાય તો સરકારને રોજ આટલા લાખની થાય આવક, સમજો સમગ્ર ગણિત

Team News Updates