News Updates
NATIONAL

ઘણા લોકોએ કૂદીને જીવ બચાવ્યો; 6નાં મોત,20 ઘાયલો પીએમસીએચમાં દાખલ,45નું રેસ્કયુ,પટનાની હોટલમાં આગ

Spread the love

પટના જંકશનથી 50 મીટર દૂર આવેલી પાલ હોટલમાં ગુરુવારે સવારે અચાનક આગ ફાટી નીકળી હતી. આગે નજીકની ત્રણ હોટલોને પણ લપેટમાં લીધી હતી. આ દુર્ઘટનામાં 6 લોકોનાં મોત થયા છે. તેમાં 3 મહિલા અને 3 પુરૂષો છે. સિટી એસપી સેન્ટ્રલ સત્યપ્રકાશે જણાવ્યું કે ઘાયલોમાં 2ની હાલત ગંભીર છે. જ્યારે 20 લોકો હાલમાં પીએમસીએચમાં સારવાર હેઠળ છે. મૃતકોની ઓળખ થઈ નથી, પ્રયાસો ચાલુ છે.

આગની જ્વાળાઓ વચ્ચે 45 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. 2 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગ ઓલવવા માટે ફાયર બ્રિગેડની 51 ગાડીઓના પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આગ ઓલવ્યા બાદ રેસ્ક્યુ ટીમ હોટલની અંદર ગઈ, જ્યાંથી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા.

આગના કારણે પટના સ્ટેશન તરફ જતો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો. ઇમારત 4 માળની હતી. આગ તમામ ફ્લોર પર ફેલાઈ ગઈ હતી. ઈમારતમાં ફસાયેલા લોકોને બચાવવા માટે હાઈડ્રાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. કહેવાય છે કે આગના કારણે હોટલમાં રાખેલા સિલિન્ડર પણ ફાટ્યા હતા. જેના કારણે આગ લાગી હતી. આગથી હોટલની બાજુમાં આવેલી ઈમારત પણ બળીને ખાખ થઈ ગઈ હતી.

હોટલમાં નાસ્તો કરવા આવેલા બીએસએફ જવાને જણાવ્યું કે ઓર્ડર આપ્યા બાદ હું હાથ ધોવા ગયો હતો. અચાનક પ્લાસ્ટિકમાં આગ લાગી અને પછી સિલિન્ડરમાં આગ લાગી. પહેલા સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો અને પછી બીજા સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો. આગ નીચેથી ઉપર સુધી ફેલાઈ રહી હતી. ત્રણ લોકો નીચે કૂદી પડ્યા. એક મહિલા પણ જીવ બચાવવા નીચે કૂદી પડી હતી. એક યુવકનો પગ ભાંગી ગયો હતો. લગભગ 45 મિનિટ બાદ ફાયર બ્રિગેડ પહોંચી હતી.

આગ લાગતાની સાથે જ હોટલમાં રાખેલા સિલિન્ડર બ્લાસ્ટ થવા લાગ્યા હતા. આથી ગભરાટ ફેલાયો હતો. લોકો અહીં-તહીં દોડવા લાગ્યા. 6થી વધુ સિલિન્ડર ફાટ્યા છે. સ્ટેશન તરફ જતો રસ્તો લગભગ ત્રણ કલાક સુધી બંધ રહ્યો હતો.

રેસ્ક્યુ ટીમનું નેતૃત્વ કરી રહેલા ફાયર સર્વિસના કમાન્ડન્ટ મનોજ કુમારે ભાસ્કરને જણાવ્યું હતું કે હાઈડ્રોલિક પ્લેટફોર્મને કારણે આગ પર કાબૂ મેળવ્યો હતો. જો આવું ન થયું હોત તો 50 લોકોના મોત થયા હોત.

ફાયર બ્રિગેડ અને બિહાર હોમગાર્ડ આઈજી એમ સુનીલ નાયકે જણાવ્યું કે અત્યાર સુધીમાં 35 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. 15 લોકોને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. આગ પર કાબૂ મેળવવા માટે અત્યાર સુધીમાં 51 વાહનો તૈનાત કરવામાં આવ્યા છે.


Spread the love

Related posts

વનસ્પતિ ઘીના વિક્રેતાને ત્યાં આરોગ્ય વિભાગના દરોડા, 150 કિલો ઘી સીઝ કરાયું

Team News Updates

કાવેરી જળ વિવાદ : આજે કર્ણાટક બંધનું એલાન, જનજીવન થશે પ્રભાવિત

Team News Updates

વિવાદિત શાહી ઇદગાહ પરિસરના સર્વેની મંજૂરી:અલ્હાબાદ હાઈકોર્ટે હિન્દુ પક્ષની અરજી સ્વીકારી, શ્રીકૃષ્ણ જન્મભૂમિ-શાહી ઇદગાહ વચ્ચે 13.37 એકર જમીનનો વિવાદ

Team News Updates