News Updates
JUNAGADH

Junagadh:જૂનાગઢ પંથકમાં ચાર મિનિટમાં ભૂકંપના બે આંચકા આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા, તાલાળા નજીક કેન્દ્રબિંદુ નોંધાયું

Spread the love

જૂનાગઢ શહેર અને જિલ્લામાં આજે બપોરે 3 વાગ્યાના અરસામાં લોકોએ ભૂકંપના આંચકાનો અનુભવ કર્યો હતો. બપોરે સવા ત્રણથી સાડા ત્રણ વચ્ચે બે આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. આંચકાનું કેન્દ્રબિંદુ તાલાળા નજીક નોંધાયું હતું.

જૂનાગઢ શહેરમાં આજે બપોરે 3 વાગ્યાને 14 મિનિટે ભૂકંપનો આંચકો નોંધાયો હતો. જેની તિવ્રતા 3.7 રિકટર સ્કેલની નોંધાઈ છે. ત્યારબાદ ચાર મિનિટના અંતરે બીજો આંચકો નોંધાયો હતો, જેની તિવ્રતા 3.4 રિકટર સ્કેલનો નોંધાયો હતો. બંને આંચકાનું કેન્દ્રબિંદુ તાલાળા પાસે નોંધાયું હતું.

આજે બપોરે આવેલૂ ભૂકંપના બે આંચકાનો અનુભવ જૂનાગઢ શહેર ઉપરાંત સાસણ પંથકના લોકોએ પણ કર્યો હતો.


Spread the love

Related posts

ચોરીની ઘટના પ્રવાસીઓ સાથે:5 તોલાનો સોનાનો ચેન અને 2 લાખ રોકડાની ચોરી,સક્કરબાગ ઝૂના પાર્કિંગમાંથી બે કારના કાચ તોડી તસ્કરોએ હાથ ફેરો કર્યો

Team News Updates

ગીર સોમનાથમાં આઈકોનિક પ્લેસ સોમનાથ મંદિર ખાતે ઉત્સાહપૂર્વક થઈ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

Team News Updates

Junagadh:લાઇટ ઓન કરતાં જ થયો બ્લાસ્ટ,જૂનાગઢમાં રસોડામાં ગેસ-રેગ્યુલેટર ચાલુ રહી ગયું,બાળક સહિત ચાર દાઝ્યાં

Team News Updates