News Updates
JUNAGADH

Junagadh:જૂનાગઢ પંથકમાં ચાર મિનિટમાં ભૂકંપના બે આંચકા આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા, તાલાળા નજીક કેન્દ્રબિંદુ નોંધાયું

Spread the love

જૂનાગઢ શહેર અને જિલ્લામાં આજે બપોરે 3 વાગ્યાના અરસામાં લોકોએ ભૂકંપના આંચકાનો અનુભવ કર્યો હતો. બપોરે સવા ત્રણથી સાડા ત્રણ વચ્ચે બે આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. આંચકાનું કેન્દ્રબિંદુ તાલાળા નજીક નોંધાયું હતું.

જૂનાગઢ શહેરમાં આજે બપોરે 3 વાગ્યાને 14 મિનિટે ભૂકંપનો આંચકો નોંધાયો હતો. જેની તિવ્રતા 3.7 રિકટર સ્કેલની નોંધાઈ છે. ત્યારબાદ ચાર મિનિટના અંતરે બીજો આંચકો નોંધાયો હતો, જેની તિવ્રતા 3.4 રિકટર સ્કેલનો નોંધાયો હતો. બંને આંચકાનું કેન્દ્રબિંદુ તાલાળા પાસે નોંધાયું હતું.

આજે બપોરે આવેલૂ ભૂકંપના બે આંચકાનો અનુભવ જૂનાગઢ શહેર ઉપરાંત સાસણ પંથકના લોકોએ પણ કર્યો હતો.


Spread the love

Related posts

Junagadh:ટ્રક ડ્રાઇવરે રૂપિયાની લાલચ આપી મનોદિવ્યાંગ સગીરાને દુષ્કર્મ આચાર્યુ,પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો

Team News Updates

સાવજ ડેરીનો મહત્વનો નિર્ણય:જૂનાગઢમાં ગરમીના કારણે દૂધના પેકિંગમાં ફરિયાદ જણાતા સાવજ ડેરીએ 2000 લીટર દૂધ પરત મંગાવ્યું, ચેરમેને કહ્યું- દૂધમાં કઈ પ્રોબલેમ નથી

Team News Updates

લોકોની આતુરતાનો હવે આવશે અંત:જૂનાગઢની શાન ગણાતા ઉપરકોટના કિલ્લાને આવતીકાલે મુખ્યમંત્રી ખુલ્લો મુકશે, વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ પણ કરશે

Team News Updates