News Updates
GUJARAT

કેસર કેરીની આવકમાં વધારો:રૂ.900થી 1500 સુધીનો ભાવ જોવા મળ્યો;પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં બરડાની કેસર કરીના 4000 બોક્સની આવક

Spread the love

આમતો ઉનાળાના પ્રારંભે કેસર કેરની આવક શરૂ થઇ જતી હોય છે. ત્યારે છેલ્લા બે દિવસથી કેસર કેરીની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે. બરડાની કેસર કેરીની આવક વધી છે જેને કારણે ભાવમાં પણ ઘટાડો થયો છે. જેને કારણે સામાન્ય લોકો પણ કેરીનો સ્વાદ માણી શકશે.

પોરબંદરમાં માર્કેટીંગ યાર્ડમાં છેલ્લા એક માસથી કેરીની આવક જોવા મળી રહી છે. તેમા બરડાની કેસર કેરીનું વ્હેલુ આગમન થયું હતું. તેમજ રત્નાગીરી, હાફુસ કેરીની આવક જોવા મળતી હતી. હવે ગીરની કેસર કેરીની આવક જોવા મળે છે. પોરબંદરના માર્કેટીગ યાર્ડમાં બરડા પંથકની કેસર કરીની આવક જોવા મળતી હતી. હવે પાક તૈયાર થતા આજે બુધવારે બરડા પંથકની કેસર કેરીના 4000 બોક્સની આવક જોવા મળી હતી. જેનો ભાવ રૂ.900થી 1500 સુધીનો જોવા મળ્યો હતો.

જ્યારે ગીરની કેસર કેરીના 1500 બોકસની આવક જોવા મળી હતી અને ભાવ રૂ.600થી 1200 જેવો જોવા મળ્યો હતો. કેસર કેરીની આવકમાં વધારો થતાં ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. બરડા પંથકની કેસર કેરીનો બોકસનો ભાવ રૂ.1000થી 1800 સુધીનો હતો. તેમા રૂ.500નો ઘટાડો થયો છે. આ કેસર કેરની આવક વધતા ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. જેથી સામાન્ય માણસો પણ કેરીનો સ્વાદ માણી શકાશે.


Spread the love

Related posts

JAMNAGAR:માતા-પુત્રીના મોત ડેમમાં ડૂબી જતા:કાલાવડના પીઠડીયા ગામનો બનાવ,પુત્રીનો પગ લપસતા ડેમમાં ડૂબવા લાગી, બચાવવા ગયેલા માતા પણ ડૂબી ગયા

Team News Updates

ડોળાસા સીમાસી ઘાંચી મુસ્લીમ સમાજ નું ગૌરવ હીનાબેન રખાભાઈ વામત ધો.12 માં 98.18 પી.આર.સાથે પાસ

Team News Updates

ભક્તો શિવભક્તીમાં તરબોળ:ડીસાના આસેડા ગામે નીલકંઠ મહાદેવના મંદિરે લોકગાયક વિજય સુવાળા અને દેવપગલીએ ધૂમ માચવી, ભક્તોએ કલાકારો પર ચલણી નોટો વરસાવી

Team News Updates