News Updates
GUJARAT

 Anand:ગંભીર રીતે ઘવાયેલા આઈસરનું સ્થળ પર જ મોત,આણંદના ઈસરવાડા નજીક ટાયર બદલવા ઉભા રાખેલા આઈસર પાછળ પિકઅપ ઘૂસ્યું 

Spread the love

ઈસરવાડા બ્રિજ નજીક ટાયર બદલવા માટે ઉભી રાખેલ આઈશર પાછળ પીકઅપ ડાલું ઘુસી જતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં આઈશરનું ટાયર બદલતાં ચાલકનું ગંભીર ઈજાઓ પહોંચવાથી મોત નિપજ્યું છે. આ અંગે તારાપુર પોલીસે પીકઅપ ડાલાના ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટમાં રહેતાં વિપુલભાઈ ભીમાભાઈ ઓળકીયા ગતરોજ રાત્રીના સમયે રાજકોટ સ્થિત રાધીકા કાર્ગોસીંસમાંથી પોતાના આઈશર ગાડી (નંબર GJ 03 BV 9635) માં માલ સામાન ભરી વડોદરા જવા નિકળ્યાં હતાં અને સવારના આશરે પોણા આઠેક વાગ્યાના અરસામાં વટામણ-તારાપુર રોડ પર આવેલ ઇસરવાડા ગામ નજીક બ્રીજ પાસે પહોંચ્યા હતાં. તે વખતે તેમના આઈશરનું પાછળનું વ્હીલ એકાએક ફાટ્યું હતું. જેથી વિપુલભાઈએ પોતાની ટ્રક રોડની સાઈડમાં ઉભી રાખી દીધી હતી.

જે બાદ તેઓ આઈશરમાંથી નીચે ઉતરી ટાયર બદલી રહ્યાં હતાં. બરાબર તે વખતે માર્ગ પર પાછળથી પુરપાટ ઝડપે આવતું પીકઅપ ડાલું (નંબર GJ 19 Y 4791) આ આઈશરની પાછળ ધડાકાભેર ઘુસી ગયું હતું. આ અકસ્માતમાં માથા તેમજ શરીરના અન્ય ભાગે ગંભીર ઈજાઓ પહોંચવાથી આઈશરચાલક વિપુલભાઈ ઓળકીયાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે. આ બનાવ અંગે મૃતકના પિતા ભીમાભાઈ રાણાભાઇ ઓળકીયાની ફરીયાદને આધારે તારાપુર પોલીસે પીકઅપ ડાલા ના ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Spread the love

Related posts

PM મોદી જામનગરમાં: પ્રદર્શન મેદાનમાં પ્રધાનમંત્રીને સાંભળવા જનમેદની ઉમટી પડી,ગુજરાતમાં આજની ચોથી જાહેરસભાને સંબોધશે

Team News Updates

NARESH PATELનો સમાજના યુવાનોને હુંકાર/ મૂંછોનાં આંકડા રાખો છો,ઉપયોગ કરતા શીખજો

Team News Updates

દરિયો ન ખેડવા સૂચના માછીમારોને: વલસાડ જિલ્લાના માછીમારોને એલર્ટ કરાયા,2 જૂન સુધી ભારે પવન ફૂંકાવાની આગાહી,અરબી સમુદ્રમાં લો પ્રેસર સર્જાતા 

Team News Updates