News Updates
SURAT

TAPI:40 લાખ ઉઠાવી ગયા તસ્કરો ATM તોડી :SBIના ATMમાં લાગેલા CCTV પર સ્પ્રે માર્યો ને ગેસકટરથી મશીન કાપ્યું; પળવારમાં લાખોની ઉઠાંતરી કરી રફુચક્કર

Spread the love

તાપી જિલ્લાના વ્યારા શહેરના કાનપુરા વિસ્તારમાં આવેલા સ્ટેટ બેંકના ATMમાંથી રાત્રિ દરમિયાન તસ્કરો અંદાજિત રૂપિયા 40 લાખની રોકડ રકમ ચોરી કરી હતી. તસ્કરો CCTV પર સ્પ્રે મારીને ગેસ કટરથી મશીન કાપ્યા બાદ પળવારમાં જ લાખોની ઉઠાંતરી કરી રફૂચક્કર થઈ ગયા હતા. પોલીસને આ ઘટનાની જાણ થતાં CCTVના આધારે તસ્કરોને શોધવા તપાસ હાથ ધરી છે.

તાપી જિલ્લામાં ગત રાત્રિ દરમિયાન વ્યારા શહેરના કાનપુરા વિસ્તારમાં આવેલ SBIના એટીએમને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. રાત્રિ દરમિયાન અંદાજિત 40 લાખ રૂપિયાની ચોરી કરી ચોરો નાસી છૂટ્યા હતા. ઘટનાની જાણ થતાં તાપી પોલીસ ચોર ટોળકીને પકડવા કામે લાગી ગયું છે. ઘટનાની વાત કરીએ તો આ એસબીઆઇનું એટીએમ સિક્યુરિટી ગાર્ડ વગરનું હોવાથી રાત્રિ દરમિયાન તસ્કરો પ્રવેશ કરી ચોરીને અંજામ આપવામાં સફળ રહ્યા હતા. પોલીસ દ્વારા ઠેર ઠેર નાકાબંધી કરી ટોળકીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. હવે ATMમાં મુકેલા સીસીટીવીના આધારે ચોર ટોળકીને શોધવાની ગતિવિધિ પોલીસે હાથ ધરી છે.

સ્થાનિક રહીશ સુધીર ચૌહાણએ જણાવ્યું હતું કે, ગઈકાલે લગભગ 2:45 જેવો સમય હતો. જે પ્રમાણે બધા ભેગા થયેલા અધિકારીઓની વાત સાંભળી છે એ પ્રમાણે પોણા ત્રણ વાગે ચોરો ત્રાટક્યા હતા અને એમની પાસે ગેસ કટર મશીન હતું, જેનાથી ATM મશીન કાપીને એમાંથી 2 મોટી પેટી અને 1 નાની પેટી કાઢી ગયા હતા. જેમાં અંદાજિત 47 લાખ જેટલી રકમ ચોરી ગયા છે તેમ લોકો દ્વારા જાણવા મળ્યું હતું.

વ્યારા શહેરના કાનપુરા વિસ્તારમાં થયેલી ATM ચોરીના સીસીટીવી વીડિયો સામે આવ્યા છે. સીસીટીવી કેમેરા પર સ્પ્રે મારી ચોરીને અંજામ આપ્યો હતો. ટેમ્પા આવેલા અજાણ્યા ચોર ઈસમો દ્વારા ચોરીને અંજામ આપતાં તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. પોલીસે આ CCTVના આધારે તસ્કરોને શોધવા તપાસ હાથ ધરી છે.


Spread the love

Related posts

ABC ડેટા ક્રેડિટ કરી ત્રણ વર્ષમાં 8.79 લાખ દેશમાં પ્રથમ:VNSG યુનિ.એ 100 દિવસમાં 1.62 લાખ ડેટા એપલોડ કરી પાંચમું સ્થાન મેળવ્યું

Team News Updates

ગણપતિ દાદાનો ‘ગોલ્ડન’ હાર:સુરતના જ્વેલરે લાલબાગના રાજા માટે તૈયાર કર્યો 9 ફૂટ લાંબો 250 ગોલ્ડ પ્લેટેડ ગુલાબનો હાર, અગાઉ રણબીર-આલિયાને ગોલ્ડન બુકે આપ્યું હતું

Team News Updates

 SURAT:પહેલીવાર સુરતમાં 47 વર્ષમાં રાણવ સાથે કુંભકર્ણ અને મેઘનાથના પુતળાનું પણ દહન થશે,40 વર્ષથી યુપીના મુસ્લિમ કારીગરો 65 ફૂટ ઊંચું રાવણનું પૂતળું બનાવે છે

Team News Updates