News Updates
AHMEDABAD

 ફેલાઇ રહ્યુ છે ઝેર દિલ્હીની જેમ અમદાવાદની હવામાં પણ,AQI-400ને પાર

Spread the love

અમદાવાદની હવામાં પ્રદૂષણ વધતુ જોવા મળી રહ્યુ છે. અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં પ્રદૂષણ જોખમી સ્તરે હોવાનું સામે આવ્યુ છે. જેને રોકવા અમદાવાદ કોર્પોરેશન દ્વારા પગલા લેવામાં આવશે.

ગુજરાતમાં શિયાળાની શરુઆત થઇ ગઇ છે. જો કે હજુ પણ મિશ્ર ઋતુ જોવા મળી રહી છે. આ વચ્ચે અમદાવાદની હવામાં પ્રદૂષણ વધતુ જોવા મળી રહ્યુ છે. અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં પ્રદૂષણ જોખમી સ્તરે હોવાનું સામે આવ્યુ છે. જેને રોકવા અમદાવાદ કોર્પોરેશન દ્વારા પગલા લેવામાં આવશે.

અમદાવાદમાં રામોલ, હાથીજણ, વટવા, રિવરફ્રન્ટ વિસ્તારમાં AQI-400ને પાર પહોંચ્યુ છે. રામોલ-હાથીજણમાં હવા સૌથી ઝેરી, AQI-452 નોંધાયો છે. વટવામાં AQI-449, રિવરફ્રન્ટ પર AQI-435 છે. શહેરમાં સરેરાશ AQI-225 નોંધાયો છે. તો પ્રદૂષિત હવાથી શ્વસનતંત્રને લગતી બીમારીઓ વધવાની શક્યતા છે.

બીજી તરફ હવાની ગુણવત્તા સુધારવા મનપા દ્વારા 100 જગ્યાએ સેન્સર લગાવાશે. પાલડી સ્થિત કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર દ્વારા હવાની ગુણવત્તાનું મોનિટરીંગ કરાશે. AQI મશીન મૂકવાથી જે-તે વિસ્તારના પ્રદૂષણની વિગતો કન્ટ્રોલ રૂમમાં જોવા મળશે. જ્યાં પ્રદૂષણ જોખમી જણાશે ત્યાં અટકાવવા માટેના તાત્કાલિક પગલાં લેવાશે. મશીન દ્વારા પાણીનો છંટકાવ કરીને પ્રદૂષણને નિયંત્રણમાં લેવાશે. પ્રદૂષણ પર નિયંત્રણ માટે સેન્સર લગાવનારું અમદાવાદ પ્રથમ શહેર બનશે.


Spread the love

Related posts

મોરબી ઝુલતો બ્રિજ દૂર્ઘટનાના મૃતકોના પરિવારજનોએ ગાંધી આશ્રમમાં યોજ્યો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ

Team News Updates

ઉત્તર પૂર્વીય, દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી:રાજસ્થાનમાં સર્જાયેલું દક્ષિણ પૂર્વીય સર્ક્યુલેશન રાજ્યમાં વાદળછાયા વાતાવરણ અને માવઠાનું કારણ

Team News Updates

ગુજરાતના રેલવે સ્ટેશનો અત્યાધુનિક બનશે:અમદાવાદ ડિવિઝનના 9, રાજકોટ ડિવિઝનના 12 તો વડોદરા ડિવિઝનના 8 રેલવે સ્ટેશનનો પુનર્વિકાસ થશે

Team News Updates