News Updates
BHAVNAGAR

દેશનો સૌથી લાંબો બ્રિજ ગુજરાતના દરિયામાં બનશે;ભાવનગરથી માત્ર 2 કલાકમાં પહોંચાશે સુરત

Spread the love

ગુજરાતનો સૌથી લાંબો સી બ્રિજ બનશે. ગુજરાતને રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય તરફથી બે મોટા પ્રોજેક્ટ્સ અને ભારતમાલા પ્રોજેક્ટ્સ મળ્યા છે.

ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર રાજ્યના વિકાસ માટે રોડ કનેક્ટિવિટી પર વિશેષ ભાર મૂકી રહી છે. રાજ્ય સરકાર રાજ્યમાં રોડ કનેક્ટિવિટી વધારીને સમય અને ઈંધણ બચાવવા માંગે છે. હવે સૌરાષ્ટ્રથી દક્ષિણ ગુજરાત કે મુંબઈ જવા માંગતા લોકો માટે સારા સમાચાર છે. વાસ્તવમાં, ગુજરાતને રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય તરફથી બે મોટા પ્રોજેક્ટ્સ અને ભારતમાલા પ્રોજેક્ટ્સ મળ્યા છે.

ગુજરાત પાસે 2 મોટા પ્રોજેક્ટ છે. જેમાં પ્રથમ પ્રોજેક્ટ જામનગરથી ભાવનગર વાયા રાજકોટ સુધીનો 248 કિલોમીટર લાંબો 4-6 લેન હાઈવે બનાવવાનો છે. બીજો પ્રોજેક્ટ ભાવનગરથી ભરૂચ સુધી 68 કિલોમીટર લાંબો 4-6 લેનનો પુલ બાંધવાનો છે. જામનગરથી ભરૂચ વાયા ભાવનગરને જોડતો 316 કિલોમીટર લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ બનાવવામાં આવનાર છે.

આ હાઈવે બન્યા બાદ જામનગરથી માત્ર 4 કલાકમાં ભરૂચ અને 5 કલાકમાં સુરત પહોંચી શકાશે. આ સાથે હવે સૌરાષ્ટ્રમાંથી સુરત જવા માંગતા લોકોએ વડોદરા જવાની જરૂર નહીં પડે.

જામનગર-ભરૂચ એક્સપ્રેસ વે જે, જામનગરથી ભરૂચને જોડતો એક્સપ્રેસ વે સૌરાષ્ટ્રથી સુરતનું અંતર 527 કિલોમીટરથી ઘટાડીને 135 કિલોમીટર કરશે. આ એક્સપ્રેસ વે જામનગરથી શરૂ થઈને રાજકોટ, ભાવનગર થઈને ભરૂચ પહોંચશે. તેથી વડોદરા કે બગોદરા વચ્ચે નહીં આવે. જો આ નવા એક્સપ્રેસ વે હેઠળ દરિયામાં 30 કિલોમીટર લાંબો પુલ બનાવવામાં આવે તો ભાવનગરથી અંદાજિત એક થી બે કલાકમાં ભરૂચ પહોંચી શકાશે.

ભાવનગરથી સુરતનું અંતર પણ ઘટીને 243 થઈ જશે જે હાલમાં 357 છે. તેથી ભાવનગરથી સુરત પહોંચવામાં ગણતરીના કલાકથી ઓછો સમય લાગશે.


Spread the love

Related posts

ભાવનગર જિલ્લાનાં વિવિધ તાલુકા મથકોએ રોજગાર કચેરી દ્વારા નામ નોંધણી કેમ્પનું આયોજન

Team News Updates

G20-ONE EARTH,ONE HEALTH’‘વસુધૈવ કુટુમ્બકમ માટે યોગ’, ‘હર ઘરના આંગણે યોગ’

Team News Updates

Bhavnagar:દારૂની હેરાફેરી પાન મસાલાના થેલામાં;ઈંગ્લીશ દારૂની 600 બોટલ સાથે ઝડપાયા,ભાવનગરના આડોડિયાવાસની ત્રણ મહિલાઓ સહિત ચાર લોકો 

Team News Updates