News Updates
GIR-SOMNATH

ગુજરાતનાં ગૃહમંત્રીનાં નકલી પીએ બનીને રોફ જમાવતા ઇસમને ઝડપી ગીર સોમનાથ એલસીબીએ ઝડપી પાડ્યો

Spread the love

સમગ્ર ઘટનાની વિગતો એવી છે કે, ગીર સોમનાથ પોલીસને એક માહિતી મળી હતી કે, ગીર સોમનાથ જીલ્લામાં રહેતો કોઈ ઇસમ સરકારી સંસ્થાઓમાં નોકરી કરતા અધિકારીઓને ફોન કરીને પોતે ગુજરાત રાજ્યના ગૃહમંત્રીનાં પીએ દતાજી બોલેચે તેવું કહી પોતાના જાણીતાઓની બદલી સહીતની ભલામણો આ ઇસમ કરતો હોય તેવી વિગતો મળી હતી.
આ પ્રકારની વિગતોને અનુસંધાને ગીર સોમનાથ એલસીબીનાં ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર વીકે ઝાલાનાં માર્ગદર્શન મુજબ લેસીબી ટીમે દિલીપ નારણભાઈ નંદાણીયા નામના ઇસમને તાલાલાનાં ઉમરેઠી ગામ નજીકથી ઝડપી લીધો હતો.
ઉલ્લેખનીય છે કે, આ ઇસમ દ્વારા રોફ જમાવવા માટે True Caller નામની મોબાઈલ એપ્લીકેશનમાં પ્રોફાઈલમાં ગૃહમંત્રીનો ફોટો તેમજ હર્ષ સંઘવી પીએ રાખી લોકોમાં રોફ જમાવતો.
હાલમાં ગીર સોમનાથ એલસીબીએ આ ઇસમને ઝડપી તેની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.


Spread the love

Related posts

વેરાવળના ફિશ ઉદ્યોગપતિની મરીન પ્રોડક્ટ એકસપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટીના વાઇસ ચેરમેન તરીકે પસંદગી થતાં ઇન્ડસ્ટ્રીઝ અને એક્સપોર્ટસ એસો. દ્વારા સન્માન સમારોહ યોજાયો

Team News Updates

બીપરજોય વાવાઝોડા માંથી રાજ્ય સકુશળ બહાર આવતા પ્રવાસન મંત્રી મુળુ બેરાએ ગુજરાત સરકાર વતી સોમનાથ મહાદેવને શીશ નમાવ્યું

Team News Updates

કફોડી સ્થિતિ વચ્ચે લોન કે વ્યાજે નાણાં લઇને પણ માછીમારીનો 1લી તારીખથી પ્રારંભ,શરૂઆતમાં વેરાવળની 50 ટકા જેટલી બોટ ઉતરશે

Team News Updates