News Updates
NATIONAL

દિગ્ગજ ક્રિકેટરની નજર સતત બીજી વખત HCA પ્રમુખ બનવા પર, ભ્રષ્ટાચારનો અંત લાવવાનો હેતુ

Spread the love

મોહમ્મદ અઝહરુદ્દીન વર્ષ 2029માં હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન એસોસિએશનના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. HCA ની ચૂંટણી 15 સપ્ટેમ્બર સુધીમાં યોજાય તેવી શક્યતા છે.

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીને હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન (HCA)ના પ્રમુખ પદ માટે સતત બીજી વખત ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.  HCA ચૂંટણીમાં 57 ક્લબોને લડવા અથવા મતદાન કરવા પર પ્રતિબંધ મૂક્યાના એક દિવસ પછી અઝહરુદ્દીને બીજી મુદત માટે તેમની ઉમેદવારીની જાહેરાત કરી. આવતા મહિને ચૂંટણી થવાની સંભાવના છે. HCA (Hyderabad Cricket Association)ને દેશના સૌથી ભ્રષ્ટ ક્રિકેટ એસોસિએશનમાં ગણવામાં આવે છે.

ભ્રષ્ટાચારના દંગલમાંથી બહાર લાવવાનો પ્રયાસ

મોહમ્મદ અઝહરુદ્દીનને 2019માં એચસીએ અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા પરંતુ તેનો કાર્યકાળ આ વર્ષની શરુઆતમાં રાવની નિયુક્તિની સાથે પૂર્ણ થયો છે. એચસીએની સર્વોચ્ચ કાઉન્સિલની કામગીરી પર પણ ઝગડા અને કોર્ટ કેસની અસર પડી હતી. અઝહરુદ્દીને વચન આપ્યું હતું કે જો તેઓ ફરીથી પદ પર ચૂંટાશે તો તેઓ HCAને ભ્રષ્ટાચારના દંગલમાંથી બહાર લાવવાનો પ્રયાસ કરશે. તેમણે કહ્યું, ‘હું 15 સપ્ટેમ્બર સુધીમાં યોજાનારી ચૂંટણી લડીશ. હું ખૂબ જ ખુશ છું કે આવું થયું (ક્લબો પર પ્રતિબંધ) કારણ કે છેલ્લા 14 વર્ષથી આ સ્થિતિ હતી.

યુનિયનને કામ કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી. હવે તેમાં ઘણો સુધારો જોવા મળશે. હું કોઈ ક્લબનો માલિક નથી. એક આંતરરાષ્ટ્રીય ખેલાડી તરીકે મને ચૂંટણી લડવાની છૂટ છે.

વર્લ્ડકપના 3 મેચ સિવાય 2 પ્રેક્ટિસ મેચની યજમાની સોંપવામાં આવી છે

HCA ને ભારતમાં યોજાનાર ODI વર્લ્ડ કપની ત્રણ મેચ અને બે વોર્મ-અપ મેચોની યજમાની સોંપવામાં આવી છે. અઝહરુદ્દીનનું મુખ્ય ધ્યાન એચસીએને નાણાકીય રીતે આત્મનિર્ભર બનાવવાનું રહેશે જેથી તેને બીસીસીઆઈ (ભારતીય ક્રિકેટ બોર્ડ)ના ભંડોળ પર વધુ આધાર રાખવો ન પડે. તેણે કહ્યું, ‘સૌથી મોટો પડકાર રમતને સુધારવાનો, સુવિધાઓમાં સુધારો કરવાનો છે. આપણે આર્થિક રીતે આત્મનિર્ભર બનવાની જરૂર છે. અન્ય સંગઠનો પાસે પુષ્કળ ભંડોળ છે. હૈદરાબાદને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે અને તેણે બીસીસીઆઈ પર નિર્ભર રહેવું પડ્યું છે.

‘મારા કાર્યકાળના 2 વર્ષ કાનૂની લડાઈમાં વેડફાઈ ગયા’

60 વર્ષના પૂર્વ ખેલાડીએ કહ્યું કે, અમે સ્થાનીક લીગ મેચ માટે મેદાન ભાડે લેવા માટે લાખો રુપિયા ખર્ચ કરે છે અને ક્યારેક તો મેદાન પણ અનુરુપ હોતા નથી. જ્યારે સુવિધાો સારી નહિ હોય તો ક્રિકેટનું સ્તર નીચે જશે. તેમણે કહ્યું કે, એચસીએમાં ભ્રષ્ટાચાર માત્ર પ્રશાસનિક સ્તર સુધી સીમિત નથી. તેમણે કહ્યું કે, જ્યારે એચસીએ રમતમાં સુધાર માટે કામ કરશે તો આ બધું પૂર્ણ થશે. મારા છેલ્લા કાર્યકાળના 2 વર્ષ કાનુની લડાઈમાં વેડફાઈ ગયા છે. અનેક સમસ્યાઓનો છતાં મે મારું શ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કર્યો છે. આ બિલકુલ સ્પષ્ટ છે કે, મેદાન પર અમારું પ્રદર્શન સારું રહ્યું નથી.


Spread the love

Related posts

બંગાળમાં પંચાયતની ચૂંટણીમાં હિંસા, 11ની હત્યા:કૂચ બિહારમાં યુવક મતપેટી લઈને ભાગ્યો, સાઉથ 24 પરગણાંમાં TMCના કાર્યકરોએ લોકોને ધમકાવીને મતદાન કરાવ્યું, બોમ્બમારો

Team News Updates

400ને પાર મૃત્યુઆંક થયો સર્ચ ઓપરેશન ચાલુ વાયનાડમાં ભૂસ્ખલનમાં ; 181 મૃતદેહના માત્ર ટુકડા જ મળ્યા, હજુ પણ 180 લોકો ગુમ, 8મા દિવસે સર્ચ ઓપરેશન ચાલુ

Team News Updates

હાઇ રિસ્ક કેટેગરીમાં મુક્યું FSSAI પેકેજ્ડ ડ્રિંકિંગ બોટલને

Team News Updates