બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતને વાય શ્રેણીની સુરક્ષા પ્રાપ્ત થઈ છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગૃહ મંત્રાલયે કંગનાને વાય કેટેગરીની સુરક્ષા આપી છે. હકીકતમાં કંગના રનૌત અને શિવસેના નેતા સંજય રાઉત વચ્ચે શાબ્દિક યુદ્ધ ચરમસીમાએ છે. સંજય રાઉતે કંગનાને મુંબઇ ન આવવાની શિખામણ આપી હતી. જેના પર કંગનાએ મુંબઇ આવવાનો પડકાર ફેંક્યો.
મુંબઇ: બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતને વાય શ્રેણીની સુરક્ષા પ્રાપ્ત થઈ છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગૃહ મંત્રાલયે કંગનાને વાય કેટેગરીની સુરક્ષા આપી છે. હકીકતમાં કંગના રનૌત અને શિવસેના નેતા સંજય રાઉત વચ્ચે શાબ્દિક યુદ્ધ ચરમસીમાએ છે. સંજય રાઉતે કંગનાને મુંબઇ ન આવવાની શિખામણ આપી હતી. જેના પર કંગનાએ મુંબઇ આવવાનો પડકાર ફેંક્યો.
આ સમગ્ર વિવાદ બાદ હવે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કંગના રનૌતને વાય કેટેગરીની સુરક્ષા આપવાનો નિર્ણય કર્યો છે. કંગનાની સુરક્ષામાં 11 જવાન તૈનાત રહેશે. જેમાંથી એક કે બે કમાન્ડો રહેશે અને બાકીના પોલીસકર્મી હશે. તેનું નોટિફિકેશન થોડા સમયમાં જાહેર થઈ શકે છે. કહેવાય છે કે 9મી સપ્ટેમ્બરે જ્યારે કંગના મુંબઇ પહોંચશે ત્યારે તેને વાય શ્રેણીની સુરક્ષા મળી જશે.
વાય શ્રેણીની સુરક્ષા મળ્યા બાદ કંગના રનૌતે કહ્યું કે આ પ્રમાણ છે કે હવે કોઈ દેશભક્ત અવાજને કોઈ ફાસીવાદી કચડી શકશે નહીં. હું અમિત શાહજીની આભારી છું. તેઓ ઈચ્છત તો સ્થિતિ જોતા મને થોડા દિવસ બાદ મુંબઇ આવવાની સલાહ આપત પરંતુ તેમણે ભારતની એક દિકરીના વચનોનું માન રાખ્યું, અમારા સ્વાભિમાન અને આત્મસન્માનની લાજ રાખી. જય હિન્દ.
હકીકતમાં ખુબ ચર્ચિત સુશાંત સિંહ રાજપૂત કેસમાં કંગના રનૌતે શરૂથી પોતાનો અવાજ બુલંદ રાખ્યો છે. તેણે બોલિવૂડ માફિયા, નેપોટિઝમ અને હવે ડ્રગ્સ મુદ્દે ખુલીને પોતાની વાત રજુ કરી છે. કંગનાના આ નિવોદનના કારણે સેલિબ્રિટીના નિશાને તો તે આવી જ ગઈ પરંતુ સાથે સાથે કેટલાક રાજકીય પક્ષોની સાથે પણ શાબ્દિક યુદ્ધ છેડાઈ ગયું.
આ જ કડીમાં કંગના રનૌત અને શિવસેનાના નેતા સંજય રાઉત વચ્ચે શાબ્દિક યુદ્ધ તીવ્ર બની રહ્યું છે. સંજય રાઉતે કંગનાને મુંબઇ ન આવવાની સલાહ આપી દીધી તો કંગનાએ તેમને મુંબઇમાં આવવાનો પડકાર ફેંકી દીધો. ત્યારબાદ કંગનાએ એક વીડિયો શેર કરીને કહ્યું પણ ખરું કે સંજય રાઉતનો અર્થ મહારાષ્ટ્ર નથી.
આ વીડિયોમાં કંગના કહે છે કે દેશમાં મહિલાઓ સાથે રેપ થાય છે, તેમના પર એસિડ ફેંકાય છે, આ બધુ એટલા માટે થઈ શકે છે કારણ કે સમાજની સોચ ખરાબ છે, કંગનાએ સંજય રાઉતને પણ આ જ સોચથી પ્રભાવિત ગણાવ્યાં. કંગનાએ સંજય રાઉત પર આરોપ લગાવી દીધો કે તેમણે દરેક મહિલાનું અપમાન કર્યું છે. તેમણે દેશની દિકરીને ગાળ આપી છે.
કંગનાએ તો હવે તે સમયને પણ યાદ કરી લીધો કે જ્યારે આમિર ખાન અને નસીરૂદ્દીન શાહે કહ્યું હતું કે તેમને દેશમાં રહેતા ડર લાગે છે. તે નિવેદનોને યાદ કરતા કંગના કહે છે કે જ્યારે આમિર અને નસીરૂદ્દીન દેશ વિરુદ્ધ કહેતા હતાં ત્યારે તો કોઈએ તેમને ગાળ નહતી આપી. તો પછી મે જ્યારે મારી અભિવ્યક્તિની આઝાદીનો ઉપયોગ કર્યો તો મને કેમ ગાળ આપવામાં આવી?