News Updates
GUJARAT

12મી નવેમ્બરે દિવાળી:દેવી લક્ષ્મીની સાથે ભગવાન વિષ્ણુ અને તુલસીની પણ પૂજા કરો, અલક્ષ્મી માટે ઘરની બહાર દીવો કરો

Spread the love

રવિવાર, 12 નવેમ્બરે આસો વદ અમાસ એટલે કે દિવાળી છે. આ તિથિએ માતા લક્ષ્મીની વિશેષ પૂજા કરવામાં આવશે. દેવી લક્ષ્મીની પૂજા સાથે જોડાયેલી ઘણી બાબતો છે, જો ધ્યાન રાખવામાં ન આવે તો પૂજાનું પૂર્ણ ફળ નથી મળી શકતું. ઉજ્જૈનના જ્યોતિષ પં. મનીષ શર્માના જણાવ્યા અનુસાર દિવાળીની પૂજામાં મહાલક્ષ્મીની સાથે ભગવાન વિષ્ણુની મૂર્તિ પણ રાખવી જોઈએ. એકલા લક્ષ્મીની પૂજા કરવાનું ટાળવું જોઈએ. એવું માનવામાં આવે છે કે દેવી લક્ષ્મી તેમના પતિ વિષ્ણુ વિના એક ક્ષણ માટે પણ ક્યાંય રહેતી નથી. તેથી લક્ષ્મી અને વિષ્ણુની પૂજા એકસાથે કરવી જોઈએ. ગણેશજીની પૂજા કરીને પૂજાની શરૂઆત કરો.

પૂજા કરતી વખતે દિશાનું ધ્યાન રાખો
દિવાળીની પૂજા કરતી વખતે કાળા અને ઘેરા રંગના કપડાં પહેરવાનું ટાળવું જોઈએ. જો તમે લાલ, પીળા અથવા સફેદ કપડાં પહેરો તો તે વધુ સારું રહેશે. લક્ષ્મી પૂજા કરતી વખતે આપણું મુખ ઉત્તર કે પશ્ચિમ તરફ હોવું જોઈએ, તે શુભ રહેશે.

અલક્ષ્મી માટે ઘરની બહાર દીવો પ્રગટાવો
દિવાળીની સાંજે લક્ષ્મીજીની પૂજા ઘરની અંદર કરવામાં આવે છે અને લક્ષ્મીના નામનો દીવો ઘરની બહાર પ્રગટાવવો જોઈએ. જો તમે પીપળના ઝાડની પાસે આ દીવાઓ પ્રગટાવો તો સારું રહેશે. એવું માનવામાં આવે છે કે દેવી લક્ષ્મીની મોટી બહેન અલક્ષ્મી પીપળ પાસે રહે છે. પીપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવવાનો અર્થ એ છે કે દેવી લક્ષ્મી હંમેશા પીપળના ઝાડની પાસે રહેવી જોઈએ અને આપણા ઘરમાં ન આવવી જોઈએ.

લક્ષ્મી-વિષ્ણુ પૂજામાં તુલસીના પાન રાખો.
અમાસ પર તુલસીના પાન ન તોડવા જોઈએ. આ તિથિએ પૂજા માટે તુલસીની પાસે પડેલા પાંદડાને ઉપાડવા જોઈએ. જો તુલસીના જૂના પાન હોય તો તેને ધોઈને પૂજામાં ફરીથી ઉપયોગમાં લઈ શકાય છે. લક્ષ્મી-વિષ્ણુ પૂજામાં તુલસીની સાથે જ પ્રસાદ ચઢાવવો જોઈએ. દિવાળી પર સૂર્યાસ્ત પછી તુલસી પાસે રંગોળી બનાવો. તુલસીનો પણ શણગાર કરો.દીવો પ્રગટાવો.

સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખો
દિવાળી પર ઘરની અંદર અને આસપાસ સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. દેવી લક્ષ્મી માત્ર એવા સ્થાનો પર જ જાય છે જ્યાં સ્વચ્છતા અને પવિત્રતા હોય. જો ઘરમાં કે આજુબાજુ ગંદકી હોય તો લક્ષ્મી પૂજાનું પૂરેપૂરું ફળ નહીં મળે.

ઘરમાં કંકાશ ન કરો
ખાસ કરીને દિવાળી દરમિયાન આ વાતનું ધ્યાન રાખો. જે ઘરમાં સંકટ અને અશાંતિ હોય ત્યાં દેવી-દેવતાઓનો વાસ નથી. જો તમે દેવી લક્ષ્મીની કૃપા ઈચ્છતા હોવ તો ઘરમાં પરેશાનીઓ ન ઉભી કરો, દરેક સાથે પ્રેમથી જીવો.


Spread the love

Related posts

ફૂટબોલની જેમ હવામાં ફંગોળ્યા કારે પિતા-પુત્રને:ત્રણ ગુલાટી ખાતા 5 સેકન્ડમાં જ પિતાનું મોત, આણંદમાં બાઈક પર રોડ ક્રોસ કરતાં કારે ટક્કર મારી

Team News Updates

746 લોકોના થયા હતા મોત,ગુજરાતમાં થયો હતો ટાઈટેનિક જેવો અકસ્માત

Team News Updates

રાંદલ વખતે ઘોડો કેમ ખુંદાય છે?:શિવપુરાણમાં નરકના પ્રકાર વર્ણવ્યા છે, તમે કેવાં કર્મ કરો તો નરકમાં જવાનું થાય?

Team News Updates