News Updates
AHMEDABAD

મહિલા પોલીસકર્મીએ જીવન ટૂંકાવ્યું:અમદાવાદના વાસણામાં રહેતી યુવાન પોલીસકર્મીએ ઘરે ગળાફાંસો ખાધો, આત્મહત્યાનું કારણ હજુ અકબંધ

Spread the love

અમદાવાદમાં પાલડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કર્મચારીએ પોતાના વાસણા ખાતેના ઘરમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી. આ સમગ્ર ઘટનાની જાણ થતાં જ સિનિયર અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જોકે, હજુ પણ મહિલા પોલીસકર્મીએ ક્યા કારણોસર આત્મહત્યા કરી તે કારણ અકબંધ છે.

આત્મહત્યાનું કારણ હજુ પણ અકબંધ
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પાલડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ લલીતાબેન પરમાર વાસણા વિસ્તારમાં આવેલા ખોડીયાર નગરમાં રહેતા હતા. લલિતાબેને કોઈ અંગત કારણોસર ગઈકાલે પોતાના ઘરે ગળાફાસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. હાલ મૃતક પોલીસકર્મીના મૃતદેને અંતિમવિધિ માટે તેમના વતન લઈ જવામાં આવી રહ્યા છે અને આ કેસમાં તપાસ હાથ ધરી છે. જો કદાચ કોઈપણ શંકાસ્પદ વસ્તુ મળશે તો તુરંત તેમાં કાર્યવાહી કરવામાં આવશે.


Spread the love

Related posts

વરસાદની આગાહી ગુજરાતમાં આખું અઠવાડિયું ; મોરબી, કચ્છ જામનગરમાં ભારે વરસાદની આગાહી, આજે રાજ્યના 30 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ

Team News Updates

SVPI Airport:એક કલાકમાં 13 હજાર સ્ક્વેર ફીટને કરશે ચોખ્ખુ,SVPI એરપોર્ટ પર ઈન્ટેલિજન્ટ ક્લિનિંગ રોબોટ તહેનાત

Team News Updates

ગુજરાતમાં આગામી 24 કલાક ઠંડો પવન ફૂંકાશે:ઉ. ગુજરાતમાં મિની વાવાઝોડાની અસર જોવા મળશે, રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણ, પણ વરસાદ પડશે નહીં

Team News Updates