News Updates
JUNAGADH

Junagadh:જૂનાગઢ પંથકમાં ચાર મિનિટમાં ભૂકંપના બે આંચકા આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા, તાલાળા નજીક કેન્દ્રબિંદુ નોંધાયું

Spread the love

જૂનાગઢ શહેર અને જિલ્લામાં આજે બપોરે 3 વાગ્યાના અરસામાં લોકોએ ભૂકંપના આંચકાનો અનુભવ કર્યો હતો. બપોરે સવા ત્રણથી સાડા ત્રણ વચ્ચે બે આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. આંચકાનું કેન્દ્રબિંદુ તાલાળા નજીક નોંધાયું હતું.

જૂનાગઢ શહેરમાં આજે બપોરે 3 વાગ્યાને 14 મિનિટે ભૂકંપનો આંચકો નોંધાયો હતો. જેની તિવ્રતા 3.7 રિકટર સ્કેલની નોંધાઈ છે. ત્યારબાદ ચાર મિનિટના અંતરે બીજો આંચકો નોંધાયો હતો, જેની તિવ્રતા 3.4 રિકટર સ્કેલનો નોંધાયો હતો. બંને આંચકાનું કેન્દ્રબિંદુ તાલાળા પાસે નોંધાયું હતું.

આજે બપોરે આવેલૂ ભૂકંપના બે આંચકાનો અનુભવ જૂનાગઢ શહેર ઉપરાંત સાસણ પંથકના લોકોએ પણ કર્યો હતો.


Spread the love

Related posts

જુઓ FREE: “THE KERALA STORY” માતાઓ અને બહેનો માટે એકદમ ફ્રી…

લોકોની આતુરતાનો હવે આવશે અંત:જૂનાગઢની શાન ગણાતા ઉપરકોટના કિલ્લાને આવતીકાલે મુખ્યમંત્રી ખુલ્લો મુકશે, વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ પણ કરશે

Team News Updates

Mango Season: કેસર કેરીની વિદેશમાં વધી જબરી માગ, અનેક દેશોમાં પહોંચી

Team News Updates