News Updates
RAJKOT

5 અધિકારીઓને કરાયા સસ્પેન્ડ Rajkot અગ્નિકાંડમાં , પ્રોહીબિશન એક્ટ નીચે ગુન્હો નોંધાયો

Spread the love

રાજકોટમાં ગેમિંગ ઝોનમાં લાગેલી આગના કારણે સમગ્ર રાજ્ય શોકમાં છે. 28 લોકોના મોત બાદ પરિવારજનોની હાલત ખરાબ છે અને રડી રહ્યા છે. આ ઘટના ઘટ્યા બાદ સીએમ તેમજ ગૃહમંત્રીએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી.

 રાજકોટમાં આવેલા TRP ગેમ ઝોનના માલિકો વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ નીચે ગુન્હો નોંધવામાં આવ્યો છે. ઘટના બાદ રાતે 3 કલાકે શરુ થયેલી SIT ની તપાસમાં CM અને ગૃહમંત્રીની સીધી નજર હેઠળ આજે સાંજ સુધીમાં વધુ કડક પગલા લેવાય તેવી શક્યતાઓ રહેલી છે.

સસ્પેન્ડ કરાયેલા પાંચ લોકોમાં રાજકોટ મનપાના ટાઉન પ્લાનર, એન્જિનિયર, માર્ગ અને મકાન વિભાગના ડેપ્યુટી એન્જિનીયર અને બે સિનિયર પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કુલ મળીને 05 અધિકારીઓને સસ્પેન્ડ કરાયા છે.

ગેમ ઝોનમાં લાગેલી આગને કારણે 28 લોકોના મોત થયા છે. આ કરૂણ અકસ્માતથી સમગ્ર શહેર જ નહીં પરંતુ સમગ્ર રાજ્ય આઘાતમાં છે. દરેક વ્યક્તિ મૃત્યુનો શોક વ્યક્ત કરી રહ્યો છે. ઘણા સંગઠનોએ ગેમિંગ ઝોનમાં આગમાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે શોક વ્યક્ત કરવા માટે બંધની જાહેરાત કરી છે. સોમવારે શહેરમાં અડધા દિવસના બંધનું એલાન આપવામાં આવ્યું છે.


Spread the love

Related posts

RAJKOT ના RAIYA ગામ માં રામ બિરાજ્યા/ મેઘરાજા એ હેત વરસાવ્યા ને હિન્દુ મુસ્લિમ એકતા ના દર્શન થયા.

Team News Updates

રાજકોટમાં દુકાનોની હરાજી:જીજાબાઈ ટાઉનશીપમાંથી મનપાને 3.08 કરોડની આવક, એક દુકાનની 11.70 લાખ અપસેટ પ્રાઈઝ સામે 33.60 લાખ મળ્યા

Team News Updates

શ્રી ખોડલધામ ટ્રસ્ટ- કાગવડની યુવા પાંખ KDVS દ્વારા રવિવારે સર્વ જ્ઞાતિય રાજકીય કારકિર્દી સેમિનાર

Team News Updates