News Updates
NATIONAL

AQI 350ને પાર દિલ્હીમાં 9 વિસ્તારોમાં:ચામડીના રોગનું જોખમ યમુનામાં હાથ નાખો તો,122 નાળામાંથી પાણી છોડાઈ રહ્યું છે

Spread the love

દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હીની હવા સતત ગંભીર કેટેગરીમાં નોંધાઈ રહી છે. ગુરુવારે સવારે 9 વાગ્યે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) અનુસાર, દિલ્હીના ઘણા મોનિટરિંગ સ્ટેશનોમાં AQI 367ને પાર નોંધાયો છે.

જેમાં આનંદ વિહાર, અશોક વિહાર, બવાના, જહાંગીરપુરી, મુંડકા, રોહિણી, સોનિયા વિહાર, વિવેક વિહાર અને વજીરપુર વિસ્તારનો સમાવેશ થાય છે. આ દરમિયાન શહેરમાં દિવસ દરમિયાન પણ ધુમ્મસ છવાયેલું રહેશે.

એ જ રીતે, દિલ્હીની 22 કિલોમીટર લાંબી યમુના નદીમાં 122 નાના-મોટા નાળાઓમાંથી દરરોજ 184.9 MGD ટ્રીટ ન કરાયેલ ગટરનું પાણી ભળી રહ્યું છે, જે યમુનાના પ્રદૂષણનું સૌથી મોટું કારણ છે.

ગાઝાપીર ખાતે નજફગઢ નાળા પાસે પહોંચીને યમુનાને પ્રદૂષિત કરતા ગંદા પાણીની તસવીરો અને સેમ્પલ લીધા હતા. આ સેમ્પલના આધારે ચામડીના રોગના નિષ્ણાતોનું કહેવું છે કે યમુનાના પાણીમાં હાથ નાખવાથી પણ ચામડીના રોગોની સાથે અન્ય રોગો પણ થઈ શકે છે.

સરકારી આંકડાઓ અનુસાર, કેન્દ્ર અને દિલ્હી સરકારોએ છેલ્લા 7 વર્ષમાં યમુનાની સફાઈ માટે 7 હજાર કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે દિલ્હીમાં યમુનાના કોઈપણ જગ્યાનું પાણી પીવાલાયક તો નથી પણ અને તે સ્પર્શ કરવાને પણ યોગ્ય નથી.

દિલ્હી પોલ્યુશન કંટ્રોલ કમિટી (DPCC) અનુસાર, આ 122 નાળાઓમાંથી, નજફગઢ ડ્રેઇન યમુનાના પાણીને સૌથી વધુ પ્રદૂષિત કરવા માટે જવાબદાર છે, જેનું ગંદુ પાણી નૌ ગાઝાપીર પાસે વજીરાબાદ બેરેજ મારફતે યમુનામાં છોડવામાં આવી રહ્યું છે. દિલ્હીમાં યમુનાના 80 ટકા પાણીને એકલા નજફગઢ નાળું પ્રદૂષિત કરી રહ્યું છે.

DPCC ડેટા અનુસાર, 2017-18 અને 2020-21 વચ્ચેના 5 વર્ષોમાં, યમુનાની સફાઈ સાથે સંકળાયેલા વિવિધ વિભાગોને 6856.9 કરોડ રૂપિયાની રકમ મંજૂર કરવામાં આવી હતી. આ રકમ યમુનામાં પડતા ગંદા પાણીને અટકાવવા માટે આપવામાં આવી હતી.

2015 થી 2023ના પહેલા છ મહિનામાં કેન્દ્ર સરકારે યમુનાની સફાઈ માટે લગભગ 1200 કરોડ રૂપિયા દિલ્હી જળ બોર્ડ (DJB) ને આપ્યા હતા.

નેશનલ ફિઝિકલ લેબોરેટરીના મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. આરકે કોટનાલાએ કહ્યું- યમુનામાં ફીણ અને રસાયણો જેવા પ્રદૂષણ માટે દિલ્હી સરકારની બિનઅસરકારક નીતિઓ જવાબદાર છે. દરરોજ 184.9 MGD ગટરનું પાણી સીધું યમુનામાં છોડાઈ રહ્યું છે. એસટીપી પ્લાન્ટ પર પણ સવાલો ઉઠી રહ્યા છે કે તેઓ ધોરણ પ્રમાણેના નથી.

ઈન્ટસ્ટ્રીઝમાંથી રાસાયણિક અને ડિટર્જન્ટ કચરો ટ્રીટ કર્યા વિના યમુનામાં છોડવામાં આવે છે. યમુનાને સાફ કરવા માટે આપણે તબક્કાવાર નીતિઓ પર કામ કરવું પડશે.

કેમિકલવાળું પાણી અને ડિટર્જન્ટ કચરો ગટરોમાં ફેંકી દેતી એજન્સીઓને ભારે દંડ અને જેલની જોગવાઈ કરવી પડશે. એ સુનિશ્ચિત કરવું પડશે કે ગટરમાંથી યમુનામાં જતું પાણીનું એક ટીપું પણ ટ્રીટમેન્ટ વિના ન જાય.

દિલ્હી હાઈકોર્ટે યમુના કિનારે છઠ પૂજા મનાવવાની મંજુરી આપવાનો ઈન્કાર કરી દીધો છે. કોર્ટે બુધવારે કહ્યું કે નદીનું પાણી ખૂબ જ પ્રદૂષિત છે. આ તહેવાર ઉજવવાથી લોકોનું સ્વાસ્થ્ય બગડી શકે છે.

5 નવેમ્બર મંગળવારથી મહાવ્રત છઠ પૂજાનો પ્રારંભ થયો છે. 5મી નવેમ્બરે નહાય ખાય, 6ઠ્ઠી નવેમ્બરે ખરના, 7મી નવેમ્બરે અસ્ત થતા સૂર્યને અર્ઘ્ય અને 8મી નવેમ્બરની સવારે ઉગતા સૂર્યને અર્ઘ્ય આપવામાં આવશે. છઠ પૂજાના દિવસે સાંજે સૂર્યને અર્ઘ્ય આપવામાં આવે છે. આ દિવસે સવારથી ઉપવાસ કરનાર વ્યક્તિ ઉપવાસ અને નિર્જલ રહે છે. પ્રસાદમાં થેકુઆ બનાવવામાં આવે છે.

સાંજે સૂર્યપૂજા કર્યા પછી પણ રાત્રે ઉપવાસ કરનાર વ્યક્તિ નિર્જલ રહે છે. ચોથા દિવસે એટલે કે સપ્તમી તિથિ (8 નવેમ્બર)ની સવારે ઉગતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કર્યા પછી વ્રત પૂર્ણ થાય છે.

યમુનામાં ફીણ ઉપરાંત દિવાળી દરમિયાન હવામાં પણ પ્રદૂષણ જોવા મળે છે. ગુરુવારે સવારે દિલ્હીના વાતાવરણમાં ધુમ્મસ જોવા મળ્યું હતું. અક્ષરધામ મંદિર અને આસપાસના વિસ્તારોમાં એક ક્વોલિટી ખરાબ કેટેગરીમાં હોવાનું નોંધાયું હતું.


Spread the love

Related posts

એન્કાઉન્ટર જમ્મુ-કાશ્મીરમાં બે સ્થળે: સર્ચ-ઓપરેશન ચાલુ; ગઈકાલે કિશ્તવાડમાં બે જવાન શહીદ થયા હતા,બારામુલ્લામાં 3 આતંકવાદી ઠાર

Team News Updates

IPL 2023: નંબર-1 ગુજરાત ટાઈટન્સની હાર છતાં પ્લેઓફની રેસ વધારે રોમાંચક બની રહી છે, આ 5 ટીમો વચ્ચે બનશે જબરદસ્ત ટક્કર, જાણો

Team News Updates

UPમાં એન્કાઉન્ટરનો સિલસિલો, ગેંગસ્ટર અનિલ દુજાના ઠાર:18 હત્યા સહિત 62 કેસ, સુંદર ભાટી પર AK-47થી હુમલો કર્યો હતો; STFની કાર્યવાહીમાં માર્યો ગયો

Team News Updates