News Updates
NATIONAL

આજથી રાષ્ટ્રપતિ બે દિવસ ગુજરાતની મુલાકાતે:કાલે ઈ-એસેમ્બલીનું ઉદ્ઘાટન અને આયુષ્માન ભવ એપ્લિકેશન લોન્ચ કરશે; વિધાનસભામાં દ્રોપદી મુર્મુનું સંબોધન

Spread the love

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 12 અને 13 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ બે દિવસીય મુલાકાત દરમિયાન તેઓ ઘણા પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન અને લોકાર્પણના કાર્યક્રમોમાં ભાગ લેશે. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ રાષ્ટ્રપતિ મુર્મુને પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવા અને વિધાનસભામાં ભાષણ આપવા આમંત્રણ આપ્યું છે.

15મી ગુજરાત વિધાનસભા બુધવારથી શરૂ થઈ રહી છે ત્યારે રાષ્ટ્રપતિ મુર્મુ વિધાનસભાને સંબોધશે. તેમજ 13 સપ્ટેમ્બરે ગુજરાતની ઈ-એસેમ્બલી લોન્ચ કરશે. આ સિવાય તે આયુષ્માન ભવ એપ્લિકેશન પણ લોન્ચ કરશે.

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે 15મી ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર 13 સપ્ટેમ્બરે બપોરે 12 વાગ્યે બોલાવ્યું છે. આ સત્ર ત્રણ દિવસનું ટૂંકું સત્ર હશે. ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રમાં બે બિલ રજૂ કરવામાં આવશે. તેમાં મેડિકલ યુનિવર્સિટી બિલ અને કોમન યુનિવર્સિટી બિલનો સમાવેશ થાય છે.

વિધાનસભાની કાર્યવાહી પેપરલેસ થશે
ઈ-વિધાન એપ્લિકેશન લોન્ચ થયા બાદ ગૃહની કાર્યવાહી સંપૂર્ણપણે પેપરલેસ થઈ જશે. આ માટે ગૃહની તમામ બેઠકો પર ટેબલેટ પણ લગાવવામાં આવ્યા છે. હવે ગૃહમાં ધારાસભ્યો પેન-કાગળથી નહીં, ટેબલેટથી સવાલ-જવાબ પૂછીને તેમના વિસ્તારના મુદ્દા ઉઠાવશે. તમામ સ્થળોની સંપૂર્ણ વિગતો ટેબલેટમાં રેકોર્ડ કરવામાં આવશે. તેના અમલીકરણ સાથે ગૃહ સંપૂર્ણ રીતે ઓનલાઈન થઈ જશે.

60,000 લોકોને આયુષ્માન ભારત કાર્ડ આપવામાં આવશે
નોંધનીય છે કે આયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (AB-PMJAY) વિશ્વની સૌથી મોટી આરોગ્ય સુરક્ષા યોજના છે. જેમાં લાભાર્થી પરિવાર દીઠ વાર્ષિક રૂ.5 લાખનું આરોગ્ય કવરેજ આપવામાં આવે છે.

કેન્દ્ર સરકાર આ વર્ષે 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર આયુષ્માન ભાવ કાર્યક્રમ શરૂ કરશે. જેથી કરીને સરકાર દ્વારા ચલાવવામાં આવતી તમામ આરોગ્ય યોજનાઓ છેવાડાના લોકો સુધી પહોંચાડી શકાય.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે આ કાર્યક્રમ દરમિયાન કેમ્પનું આયોજન કરવામાં આવશે અને 60,000 લોકોને આયુષ્માન ભારત કાર્ડ આપવામાં આવશે.


Spread the love

Related posts

1000 કરોડને પાર થઈ વિરાટ કોહલીની નેટવર્થ, 1 ઇન્સ્ટા પોસ્ટના 9 કરોડ, એડવર્ટાઇઝની અધધ આવક

Team News Updates

પીકઅપ પલટી છત્તીસગઢમાં, 18નાં મોત,16 મહિલાઓનો સમાવેશ ,કવર્ધામાં 20 ફૂટ ઊંડા ખાડામાં પડી ગઈ

Team News Updates

બાલાસોર ટ્રેન દુર્ઘટના મામલે CRS રિપોર્ટમાં મોટો ખુલાસો, કહ્યું- લોકેશન બોક્સના વાયરિંગમાં હતી ગડબડી

Team News Updates