News Updates
GUJARAT

જાણો કેવી રીતે ગણેશજીએ કુબેર દેવનું અભિમાન તોડ્યું:તમારા પદ અને સંપત્તિનું ક્યારેય અભિમાન ન કરો, નહીં તો તમારે પસ્તાવું પડશે

Spread the love

આજે (20 સપ્ટેમ્બર) ગણેશ ઉત્સવનો બીજો દિવસ છે. આ દિવસોમાં ભગવાન ગણેશની પૂજા કરવાની સાથે તેમની સાથે સંબંધિત કથાઓ વાંચવાની અને સાંભળવાની પણ પરંપરા છે. ભગવાન ગણેશની કથામાં જીવન વ્યવસ્થાપનનાં સૂત્રોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જો આપણે આ સૂત્રોને આપણા જીવનમાં અમલમાં મૂકીએ તો આપણે ઘણી સમસ્યાઓથી બચી શકીએ છીએ. અહીં જાણો ગણેશજી અને કુબેર દેવની વાર્તા, જેમાં ભગવાને કુબેર દેવનું અભિમાન તોડ્યું હતું.

એક દિવસ દેવતાઓના કુબેરને પોતાના પદ અને સંપત્તિનું અભિમાન થયું. ઘમંડમાં તે ભગવાન શિવ પાસે ગયો અને તેમને પોતાના મહેલમાં પરિવાર સાથે જમવાનું આમંત્રણ આપ્યું.

શિવજીએ કહ્યું કે તમે જરૂરતમંદ લોકોને ખવડાવો તે સારું છે.

કુબેરે કહ્યું, પ્રભુ મારી પાસે ઘણા પૈસા છે અને હું જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવું છું, પણ આજે હું તમારા પરિવારને પણ ભોજન કરાવવા ઇચ્છું છું.

ભગવાન શિવ સમજી ગયા કે કુબેરને પોતાની સંપત્તિ અને પદ પર ઘમંડ આવી ગયું છે. આથી તેમણે કહ્યું કે હું ક્યાંય જતો નથી, તમે એક કામ કરો, ગણેશને તમારી સાથે લઈ જાઓ. તેને ખવડાવો, પરંતુ ધ્યાન રાખજો કે ગણેશજીની ભૂખ સરળતાથી સંતોષાતી નથી.

કુબેરે કહ્યું કે જો હું બધાને ખવડાવીશ શકું છું તો ભગવાન ગણેશને પણ ખવડાવીશ.

રાત્રિભોજનનું આમંત્રણ મળ્યા બાદ ગણેશજી કુબેરના મહેલમાં પહોંચ્યા. કુબેરે તેમના માટે ઘણી રસોઈ તૈયાર કરી. ગણેશજી જમવા બેઠા, ગણેશજી જમતા હતા, થોડી જ વારમાં કુબેરના રસોડામાં બધું ભોજન સમાપ્ત થઈ ગયું. ગણેશજીએ વધુ ભોજન માંગ્યું.

આ જોઈને કુબેર ડરી ગયો. તેણે તરત જ વધુ ખોરાક તૈયાર કર્યો, તે પણ સમાપ્ત થઈ ગયો. ગણેશજી વારંવાર ભોજન માગી રહ્યા હતા. કુબેરે ભગવાન ગણેશની સામે હાથ જોડીને કહ્યું કે હવે મારા ઘરનો બધો ખોરાક ખતમ થઈ ગયો છે. હું વધુ ખોરાક ખવડાવી શકતો નથી.

ગણેશજીએ કહ્યું, પણ મારી ભૂખ હજી સંતોષાઈ નથી. મને તમારા રસોડામાં લઈ જાઓ.

જ્યારે કુબેર ગણેશજીને રસોડામાં લઈ ગયા ત્યારે ગણેશે ત્યાં રાખેલી બધી વસ્તુઓ ખાઈ લીધી. ગણેશજી હજી ભૂખ્યા હતા. તેણે કહ્યું કે મને ત્યાં લઇ જાવ જ્યાં કાચી ખાદ્ય સામગ્રી રાખવામાં આવે છે. જ્યારે ભગવાન કુબેર તેમને તેમના ભંડારમાં લઈ ગયા, ત્યારે ભગવાન ગણેશએ ત્યાં રાખેલી બધી કાચી ખાદ્ય સામગ્રીઓ પણ ઓહિયા કરી ગયા.

હવે કુબેર દેવની બુદ્ધિ કામ કરતી બંધ થઈ ગઈ હતી. તે તરત જ ભગવાન શિવ પાસે પહોંચી ગયો. તેમણે આખી વાત શિવજીને કહી. શિવજીએ ગણેશજીને કહ્યું કે જાઓ અને માતા પાર્વતીને બોલાવો.

માતા પાર્વતીને જોઈ ગણેશજીએ કહ્યું, માતા, કુબેરદેવના ભોજનથી મારી ભૂખ સંતોષાઈ નથી. મને ખાવા માટે કંઈક આપો.

પાર્વતી તેના રસોડામાં ગઈ અને ખોરાક તૈયાર કરીને લઈ આવી. દેવીએ પોતાના હાથે ભગવાન ગણેશને ભોજન કરાવતાં જ ભગવાન ગણેશ સંતુષ્ટ થઈ ગયા. જ્યારે માતાએ વધુ ખવડાવવાનું શરૂ કર્યું, ત્યારે ગણેશજીએ કહ્યું, માતા, મારું પેટ ભરાઈ ગયું છે. હવે હું ખાઈ શકતો નથી.

આ બધું જોઈને કુબેર દેવનું અભિમાન તૂટી ગયું અને તેને પોતાની ભૂલ સમજાઈ ગઈ. કુબેરે બધાની માફી માંગી.

આ રીતે ભગવાન ગણેશે કુબેર દેવના પદ અને સંપત્તિનું અભિમાન તોડી નાખ્યું. ભગવાને આપણને એ જ સંદેશો આપ્યો છે કે, જેઓ પોતાના પદ અને સંપત્તિનું અભિમાન કરે છે તેમણે પાછળથી પસ્તાવું પડે છે. આ દુષ્ટતાને શક્ય તેટલી વહેલી તકે છોડી દેવી જોઈએ.


Spread the love

Related posts

 ગુજરાતનો આ પ્લાન્ટ,રાજકોટથી 3 ગણા મોટા વિસ્તારમાં થઈ રહ્યું છે નિર્માણ,અમદાવાદીઓ 4 વર્ષ સુધી વાપરી શકે એટલી વીજળી 1 વર્ષમાં ઉત્પન્ન કરશે

Team News Updates

Chaitra Navratri 2024:મા શૈલપુત્રીની પૂજા વિધિ,શુભ સમય અને મંત્ર, ચૈત્ર નવરાત્રીનો પ્રથમ દિવસ

Team News Updates

રાજકોટ અને પ્રાંતિજની મસાલા ફેક્ટરીઓને લાખોનો દંડ, ફૂડ સેમ્પલ ફેઇલ થતા કાર્યવાહી

Team News Updates