News Updates
GUJARAT

વલસાડ : પારનેરા ગામે 15 વર્ષીય કિશોરનું હાર્ટ એટેકથી મોત, પરિવારજનોમાં શોકનો માહોલ

Spread the love

વલસાડના પારનેરામાં 3 દિવસથી બીમાર કિશોરનું સોમવારે વહેલી સવારે હાર્ટ એટેક આવતાં મોત થયું હોવાની ઘટના સામે આવી છે. ધોરણ 10માં ભણતા કિશોરનું મોત થતાં પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. બે દિવસ અગાઉ પણ વલસાડમાં 2 લોકોના હાર્ટએટેકથી મોત થયા હતા.

વલસાડના પારનેરા ગામે 15 વર્ષીય કિશોરનું હાર્ટ એટેકથી મોત થયું હોવાની ઘટના સામે આવી છે. કિશોર 3 દિવસથી બીમાર હોવાની માહિતી સામે આવી છે. ત્યારે સોમવારે વહેલી સવારે હાર્ટ એટેક આવતાં વિધાર્થીએ દમ તોડ્યો હતો. ધોરણ 10માં ભણતા કિશોરનું મોત થતાં પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે.

બે દિવસ અગાઉ પણ વલસાડમાં 2 લોકોના હાર્ટએટેકથી મોત થયા હતા. 51 વર્ષીય રાજેશ સિંધેને રસ્તા પર ચાલતા સમયે હાર્ટએટેક આવ્યો હતો. તો 30 વર્ષીય જીમિત રાવલ ફોન પર વાત કરતા અચાનક ઢળી પડ્યો હતો. બંને યુવકોને સારવાર દરમિયાન તબીબોએ મૃત જાહેર કર્યા હતા.


Spread the love

Related posts

એક્સપાયરી ડેટનો સામાન વેચનાર ડી માર્ટના વેપારીને 1 લાખ રુપિયાનો દંડ, 50 ટકા રકમ ગ્રાહકને ચૂકવવી પડશે,

Team News Updates

મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કારણે હિમવર્ષા-વરસાદની સર્જાશે સ્થિતિ, જાણો ગુજરાત સહીતના આ રાજ્યોમાં કેવુ રહેશે હવામાન

Team News Updates

વેરાવળમાં મંગળવારે મોડી રાત્રે 6 કલાકમાં 11 ઇંચથી વધુ વરસાદના પગલે જનજીવન ખોરવાયું

Team News Updates