News Updates
GUJARAT

વલસાડ : પારનેરા ગામે 15 વર્ષીય કિશોરનું હાર્ટ એટેકથી મોત, પરિવારજનોમાં શોકનો માહોલ

Spread the love

વલસાડના પારનેરામાં 3 દિવસથી બીમાર કિશોરનું સોમવારે વહેલી સવારે હાર્ટ એટેક આવતાં મોત થયું હોવાની ઘટના સામે આવી છે. ધોરણ 10માં ભણતા કિશોરનું મોત થતાં પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. બે દિવસ અગાઉ પણ વલસાડમાં 2 લોકોના હાર્ટએટેકથી મોત થયા હતા.

વલસાડના પારનેરા ગામે 15 વર્ષીય કિશોરનું હાર્ટ એટેકથી મોત થયું હોવાની ઘટના સામે આવી છે. કિશોર 3 દિવસથી બીમાર હોવાની માહિતી સામે આવી છે. ત્યારે સોમવારે વહેલી સવારે હાર્ટ એટેક આવતાં વિધાર્થીએ દમ તોડ્યો હતો. ધોરણ 10માં ભણતા કિશોરનું મોત થતાં પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે.

બે દિવસ અગાઉ પણ વલસાડમાં 2 લોકોના હાર્ટએટેકથી મોત થયા હતા. 51 વર્ષીય રાજેશ સિંધેને રસ્તા પર ચાલતા સમયે હાર્ટએટેક આવ્યો હતો. તો 30 વર્ષીય જીમિત રાવલ ફોન પર વાત કરતા અચાનક ઢળી પડ્યો હતો. બંને યુવકોને સારવાર દરમિયાન તબીબોએ મૃત જાહેર કર્યા હતા.


Spread the love

Related posts

Knowledge:તફાવત જાણો લોયર, એડવોકેટ અને બેરિસ્ટર વચ્ચે શું છે તફાવત ?

Team News Updates

Narmada:15 દરવાજા ખોલાયા,નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો,134.73 મીટર પહોંચતા દરવાજા ખોલાયા

Team News Updates

6 જૂને રોહિણી નક્ષત્રનો વરસાદ થવાની સંભાવના,અંબાલાલ પટેલની મોટી આગાહી,રાજ્યમાં વરસાદને લઈને

Team News Updates