News Updates
NATIONAL

એરફોર્સમાં 12 નવા સર્વેલન્સ એરક્રાફ્ટનો સમાવેશ થશે:રડાર કવરેજ 300 ડિગ્રી સુધી હશે; બોર્ડર પર દેખરેખ વધારવાનો રક્ષા મંત્રાલયનો નિર્ણય

Spread the love

ચીન અને પાકિસ્તાન સરહદ પર હવાઈ દેખરેખ વધારવા માટે નવા એરબોર્ન અર્લી વોર્નિંગ એન્ડ કંટ્રોલ (AEW&C) એરક્રાફ્ટ વિકસાવવા પર વિચાર કરી રહ્યા છે. તેનાથી વાયુસેનાના ફાઈટર જેટ્સને ચીન અને પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશનમાં મદદ મળશે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ અનુસાર, ડીઆરડીઓ અને ભારતીય વાયુસેના 6 માર્ક-1એ એરક્રાફ્ટ અને 6 માર્ક-2 એરક્રાફ્ટ બનાવવા પર આગ્રહ કરી રહ્યા છે, જેના પર એરબોર્ન અર્લી વોર્નિંગ એન્ડ કંટ્રોલ સિસ્ટમ લગાવવામાં આવશે. તેમાંથી, સંરક્ષણ મંત્રાલય આવતા અઠવાડિયે માર્ક 1A એરક્રાફ્ટ માટે એકસેપ્ટન્સ ઓફ રિકવાયમેન્ટ (AoN) પત્ર જારી કરશે.

ભારત પાસે પહેલાથી જ 3 AEW&C એરક્રાફ્ટ છે, જેને નેટ્રા એરક્રાફ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. નવા AEW&C એરક્રાફ્ટ પણ સમાન હશે. પરંતુ રડાર સિસ્ટમ વધુ અદ્યતન હશે. આ એરક્રાફ્ટની રેન્જ 240 ડિગ્રી હશે.

આ સિવાય બીજો પ્રોજેક્ટ AEWAC-માર્ક 2 એરક્રાફ્ટનો હશે. તેનું રડાર કવરેજ 300 ડિગ્રી સુધીનું હશે. રિપોર્ટ અનુસાર આ એરક્રાફ્ટને 2026-27 સુધીમાં એરફોર્સમાં સામેલ કરવામાં આવશે.

નવા AEWAC એરક્રાફ્ટની જરૂર શા માટે?
ભારત હાલમાં AEW&C બાબતોમાં પાકિસ્તાન અને ચીનથી પાછળ છે. ભારત પાસે હવાઈ દેખરેખ માટે 3 નેટ્રા એરક્રાફ્ટ છે. આ સિવાય ત્રણ રશિયન IL-76 એરક્રાફ્ટ છે, જેના પર ઈઝરાયેલી ફાલ્કન AWAC સિસ્ટમ લગાવવામાં આવી છે. આ એરક્રાફ્ટની રેન્જ 400 કિલોમીટર છે અને તેનું રડાર કવરેજ 360 ડિગ્રી છે. તેમને 2009-10માં એરફોર્સમાં સામેલ કરવામાં આવ્યા હતા.

પાકિસ્તાન પાસે હાલમાં હવાઈ દેખરેખ માટે 11 સ્વીડિશ AEW&C એરક્રાફ્ટ અને એક ચાઈનીઝ કારાકોરમ ઈગલ AWAC એરક્રાફ્ટ છે. તે જ સમયે, ચીન પાસે આવા 30 વિમાન છે. ફેબ્રુઆરી 2019માં બાલાકોટ એરસ્ટ્રાઈક દરમિયાન એરફોર્સને સર્વેલન્સ એરક્રાફ્ટની સૌથી વધુ જરૂરિયાત અનુભવાઈ હતી. આ સિવાય પૂર્વી લદ્દાખમાં ચીન સાથેની અથડામણ બાદ વાયુસેના તે વિસ્તારમાં દેખરેખ વધારવા માગે છે.


Spread the love

Related posts

ઈન્ડિગો ફ્લાઈટમાં સેન્ડવીચની અંદરથી સ્ક્રૂ મળ્યો:બેંગલુરુથી ચેન્નાઈ જતા પેસેન્જરનો દાવો – એરલાઈન્સે માફી માંગવાનો ઈન્કાર કર્યો

Team News Updates

સાબરમતી જેલમાં બેઠાં-બેઠાં લોરેન્સે કેનેડામાં હત્યા કરાવી!:બિશ્નોઈ તિહાર જેલમાંથી શાર્પશૂટરના કોન્ટેક્ટમાં હતો; અતીક અહેમદે પણ સાબરમતી જેલમાંથી ISI એજન્ટને ફોન કર્યો હતો

Team News Updates

સિસોદિયાને યાદ કરીને કેજરીવાલ રડ્યા:મનીષજી ખૂબ જ જલદી જેલની બહાર આવશે, સત્ય ક્યારેય હાર માનશે નહીં

Team News Updates