News Updates
GUJARAT

નર્મદાના નીર 106 તળાવોમાં ઠાલવવામાં આવતા સ્થાનિકોએ વધામણાં કર્યા, જુઓ

Spread the love

બનાસકાંઠા જિલ્લામાં નર્મદા નહેર આધારિત થરાદ-સીપુ પાઈપલાઈન થકી મહાશિવરાત્રીથી 106 તળાવો ભરવા માટેની શરુઆત કરવામાં આવી છે. તળાવોમાં નર્મદાના નીર ઠાલવવામાં આવતા ખેડૂતો અને સ્થાનિકો માટે ખુશીઓ વ્યાપી છે. થરાદ, ડીસા, લાખણી અને દાંતીવાડાના 39 ગામના તળાવોમાં પાણી ભરવામાં આવનાર છે.

બનાસકાંઠા જિલ્લામાં પાણીની સમસ્યા વર્ષોથી સતાવી રહી છે. સરકાર દ્વારા આ સમસ્યા દૂર કરવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરુપે જ બનાસકાંઠામાં નર્મદા નહેર આધારિત 70 કિલોમિટર લાંબી થરાદ-સીપુ પાઈપલાઈન યોજના અમલમાં મુકવામાં આવી છે.

આ યોજના થકી પાઈપલાઈન મારફતે સીપુ ડેમમાં નર્મદાના નીર ઠાલવવામાં આવનાર છે. આ સાથે જ પાઈપલાઈન પસાર થવાના વિસ્તારમાં નજીકમાં રહેલા તળાવોને લીંક પાઈપલાઈન વડે ભરવામાં આવી રહ્યા છે.

તળાવોમાં નર્મદાના નીર પહોંચતા તેના વધામણા કરવામાં આવ્યા હતા. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને બનાસકાંઠાના સાંસદ પરબત પટેલે પાણીના વધામણા કર્યા હતા.

થરાદ સીપુ પાઈપલાઈન યોજના થકી બનાસકાંઠા જિલ્લાના 39 ગામના 106 જેટલા તળાવોમાં નર્મદાના નીર ઠલવવામાં આવશે. જેના થકી આસપાસના વિસ્તારમાં ભૂગર્ભ જળ પણ ઉંચા આવશે.

થરાદ તાલુકાના 47, ડીસાના 35, લાખણીના 19 અને દાંતીવાડાના 5 તળાવ ભરવામાં આવનાર છે. જેનાથી વિસ્તારના સ્થાનિકોને મોટી રાહત સર્જાશે.


Spread the love

Related posts

લાઈવ લોકેશન શેરિંગ કરનાર પહેલું ઇલેક્ટ્રિક સ્કૂટર:’TVS X’ ફૂલ ચાર્જ પર 140kmની રેન્જનો દાવો, કિંમત છે 2.50 લાખથી શરૂ

Team News Updates

અમેરિકામાં હિટ એન્ડ રન, ગુજરાતી યુવકનું મોત:’પપ્પા… અહીં મજા આવે છે, તમે પણ આવો ને’, પિતા સાથે ફોન પર વાત કરી રહેલા દર્શિલ પર એક પછી એક 14 ગાડી ફરી વળી

Team News Updates

40 બેસ્ટ સફાઈ કામદારોને પ્રમાણપત્ર,આપ જે કામગીરી કરી રહ્યા છો તેના થકી શહેર ઉજળું છે -મ્યુ. કમિશનરે કહ્યું

Team News Updates