News Updates
GUJARAT

જેતપુરના નવાગઢ ઓવરબ્રિજ પર કારમાં આગ લાગી, કાર બળીને ખાખ

Spread the love

રાજકોટના જેતપુરમાં કારમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. જેતપુરના નવાગઢ ઓવરબ્રિજ પર કારમાં આગ લાગી હતી. તેમજ કાર ચાલક CNG ગેસ ભરાવીને ઘરે જતા દરમિયાન આગ લાગવાની ઘટના બની હતી. કારમાં અચાનક આગ લાગતા બળીને ખાખ થઈ ગઈ છે.

રાજ્યમાં અવારનવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે. ત્યારે રાજકોટના જેતપુરમાં કારમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. જેતપુરના નવાગઢ ઓવરબ્રિજ પર કારમાં આગ લાગી હતી. તેમજ કાર ચાલક CNG ગેસ ભરાવીને ઘરે જતા દરમિયાન આગ લાગવાની ઘટના બની હતી. કારમાં અચાનક આગ લાગતા બળીને ખાખ થઈ ગઈ છે. યુવક સમયસૂચકતાથી બહાર નીકળી જતા બચી ગયો છે. તેમજ પાલિકાના ફાયર ફાઇટરે આગ પર કાબૂ મેળવ્યો હતો.

બીજી તરફ આ પ્રકારની ઘટના અગાઉ પણ બની હતી. ગાંધીનગરના સેક્ટર 3માં કારમાં આગચંપની ઘટના બની હતી. કારને આગ હવાલે કરવાની ઘટના CCTVમાં કેદ
થઈ હતી. બ્રોકરના ઘરના CCTVમાં આગચંપીની ઘટના કેદ થઈ ગઈ હતી. તેમજ કારમાલિકે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.


Spread the love

Related posts

આત્મહત્યાનો પ્રયાસ, પારિવારિક ઝગડા, સંતાનો અને વાલીઓ વચ્ચે અણબનાવ, છેતરપિંડી જેવી સમસ્યાઓના સમાધાનનું સરનામું એટલે ‘મહિલા હેલ્પ ડેસ્ક’

Team News Updates

શક્તિપીઠ પ્રવાસના ભાગ 5 માં કાલીઘાટ મંદિર:મંદિરમાં ષષ્ઠીથી દશમી સુધી વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, માંસ અને માછલી પણ દેવીને અર્પણ કરવામાં આવશે.

Team News Updates

ગીર સોમનાથના દરિયાઈ વિસ્તારના મૂળ દ્વારકા, માઢવાડ, કોટડા સહિતના ગામોની પ્રત્યક્ષ મુલાકાત લેતાં કેન્દ્રીય રાજયમંત્રી ડૉ.મહેન્દ્ર મુંજપરા

Team News Updates