News Updates
VADODARA

547મો પ્રાદુરભાવ ઉત્સવ વલ્લભાચાર્યજી મહાપ્રભુનો:આવતીકાલે વ્રજરાજકુમારજીની અધ્યક્ષતામાં વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે ઉત્સવની ઉજવણી થશે

Spread the love

જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુનો 547મો પ્રાદુરભાવ ઉત્સવ તારીખ 4 મે 2024 શનિવારના રોજ વ્રજરાજકુમારની અધ્યક્ષતામાં વ્રજધામ આધ્યાત્મિક સંકુલ, માંજલપુર ખાતે ઉજવાશે અને પ્રસિદ્ધ ગાયક કલાકાર સચિન લીમયે દ્વારા ભક્તિ સંગીત સંધ્યા યોજાશે.

આ ઉત્સવમાં ઠાકોરજીને બપોરે 12:30 કલાકે રાજભોગ દર્શનમાં તિલક અને પલનાના દર્શન થશે. સાંજે 6:00 કલાકે ઉત્સવ સભા તથા સાંજે 7:30 કલાકે ઠાકોરજી સુખાર્થે ભવ્ય પુષ્પ સાગરમાં પુષ્પ વિતાનનો મનોરથના દર્શન હજારોની સંખ્યામાં વૈષ્ણવોને લાભ પ્રાપ્ત થશે. સચિન-અશિતા લીમયેના વૃંદ દ્વારા શ્રીકૃષ્ણ ભક્તિ ગીતોની રમઝટ બોલાવશે. ભક્તિ સંગીત સંધ્યાના કાર્યક્રમ બાદ વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમાર મહોદયના આશીર્વાદનો પણ લાભ વૈષ્ણવોને પ્રાપ્ત થશે.

આ સમગ્ર આયોજનમાં શ્રી ઠાકોરજી મનોરથ મુખ્ય સેવાર્થી દુધીબેન રાખોલીયા, રમેશભાઈ તથા વર્ષાબેન રાખોલીયા, વિશ્વા, કોષા, રુહી રાખોલીયા (Sandiego યુ.એસ.એ), ઉત્સવ સભાના મનોરથી જયશ્રીબેન રાડિયા, દેવયાનીબેન પટેલ, રેખાબેન તથા કલ્પેશભાઈ પોપટ, પ્રતિભાબેન લાખાણી (યુકે), તેમજ ભોજન પ્રસાદી મનોરથી કલ્પેશભાઈ શેઠ તથા અશેષભાઈ ઠક્કરે સેવા પ્રદાન કરી છે.


Spread the love

Related posts

વિદ્યાર્થીનો આપઘાત વડોદરાની MS યુનિ.માં :મારી જાતે પગલું ભર્યું છે,કોઈનો વાંક નથી-સુસાઈડ નોટમાં લખ્યું,સાયન્સ ફેકલ્ટીમાં ભણતા 18 વર્ષીય સ્ટુડન્ટે ગળેફાંસો ખાધો

Team News Updates

VADODARA:બ્રિજની સાઈડમાં બેઠેલાઓને કારથી ઉડાડ્યા,બે યુવતીને ઈજા,યુવકનું મોત,પરિવાર દોડી આવ્યો ચાલકને બચાવવા

Team News Updates

વડોદરાના 200 યુવાનોનું અનોખું કાર્ય:તળાવો સ્વચ્છ રાખવા શહેરના 700 ગણેશ પંડાલમાં ફરી નિર્માલ્ય એકઠું કર્યું, પૂજાપો VMCને આપી ખાતર બનાવાય છે

Team News Updates