News Updates
NATIONAL

BREAKINGમોદી સરકાર સામે કેજરીવાલની જીત:દિલ્હી સરકારની સલાહ પર કામ કરશે LG, સુપ્રીમ કહ્યું- રાજ્યનું શાસન કેન્દ્રના હાથમાં ના જવું જોઈએ

Spread the love

સુપ્રીમ કોર્ટે ગુરુવારે દિલ્હીમાં સરકારી કર્મચારીઓની બદલી અને પોસ્ટિંગના અધિકાર પર ઐતિહાસિક ચુકાદો આપ્યો. CJI ડીવાય ચંદ્રચુડે ચુકાદો સંભળાવ્યો છે. CJIએ કહ્યું કે અમે બધા જજ તે વાત સાથે સહમત છીએ કે આગળ આવું ફરી ક્યારેય ન થવું જોઈએ.

અમે ન્યાયમૂર્તિ ભૂષણના 2019ના ચુકાદા સાથે સહમત નથી, જેમાં કહેવામાં આવ્યું હતું કે દિલ્હી સરકારને સંયુક્ત સચિવના સ્તરથી ઉપરના અધિકારીઓ પર કોઈ સત્તા નથી. ભલે NCTD સંપૂર્ણ રાજ્ય ન હોવા છતાં, તેની પાસે કાયદો ઘડવાની સત્તા છે.

ચુકાદાની મહત્વની વાતો

– કેન્દ્ર અને રાજ્યો બંને પાસે કાયદો ઘડવાની સત્તા છે, પરંતુ તે વાતનું ધ્યાન રાખવામાં આવે કે કેન્દ્ર એટલી દખલગીરી ન કરે કે તે રાજ્ય સરકારનું કામ પોતાના હાથમાં લઈ લે.

– જો કોઈપણ અધિકારીને લાગે છે કે સરકાર તેના પર અંકુશ રાખી શકતી નથી તો તેની જવાબદારી ઘટી જશે અને તેના કામ પર અસર પડશે. ઉપરાજ્યપાલે દિલ્હી સરકારની સલાહ પર જ કામ કરવાનું રહેશે.

સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચ ગુરુવારે દિલ્હી સરકાર અને દિલ્હી સરકાર અને ઉપરાજ્યપાલ વચ્ચેના અધિકારો મામલે વિવાદ વચ્ચે સત્તાના વિભાજન મામલે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. આ મામલો રાજધાનીમાં સિવિલ સેવકોના ટ્રાન્સફર અને પોસ્ટિંગના અધિકારોથી સંબંધિત છે.

CJI ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેન્ચે 18 જાન્યુઆરીએ આ મામલે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. CJI ઉપરાંત બેન્ચમાં જસ્ટિસ એમઆર શાહ, જસ્ટિસ કૃષ્ણ મુરારી, જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ પીએસ નરસિમ્હાનો સમાવેશ થાય છે.

કેન્દ્રએ આ મામલો મોટી બેંચ સમક્ષ મોકલવાની માંગ કરી હતી
જાન્યુઆરીમાં સુનાવણી દરમિયાન કેન્દ્રએ આ મામલાને મોટી બેંચ પાસે મોકલવાની માંગ કરી હતી. કેન્દ્ર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું- મામલો દેશની રાજધાનીનો છે. આથી તેને મોટી બેંચ પાસે મોકલવો જોઈએ. ઈતિહાસ કદાચ આપણને યાદ ન અપાવતો હોય કે આપણે દેશની રાજધાની સંપૂર્ણ અરાજકતા માટે સોંપી દીધી હતી, તેથી સુપ્રીમ કોર્ટ દ્વારા ચુકાદામાં વિલંબ એ ધોરણ ન હોવું જોઈએ.

આ બાબતે CJIએ કહ્યું- જ્યારે સુનાવણી પૂરી થવાની છે ત્યારે આવી માંગ કેવી રીતે કરી શકાય? કેન્દ્રએ આ અંગે અગાઉ ચર્ચા કેમ ન કરી? આ પછી કોર્ટે તેમની માંગને ફગાવી દીધી હતી.

દિલ્હી સરકારે વિરોધ કર્યો હતો
કેન્દ્રની માંગ પર વાંધો ઉઠાવતા દિલ્હી સરકારના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું- અહીં એવી તસવીર રજૂ કરવામાં આવી રહી છે કે રાષ્ટ્રીય રાજધાની હાઇજેક કરવામાં આવી રહી છે. સંસદ કોઈપણ કાયદો બનાવી શકે છે, પરંતુ અહીં અધિકારીઓને લગતી નોટિફિકેશનનો મામલો છે. આ બાબતમાં વિલંબ કરવાની એક પદ્ધતિ છે, જેને કેન્દ્ર સરકાર અપનાવી રહી છે.

સમગ્ર વિવાદ જાણો

  • AAP સરકાર અને લેફ્ટનન્ટ ગવર્નર વચ્ચે અધિકારોની આ લડાઈ 2015માં દિલ્હી હાઈકોર્ટ સુધી પહોંચી હતી. ઓગસ્ટ 2016માં હાઈકોર્ટે આ અંગે સુનાવણી કરતા રાજ્યપાલની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.
  • AAP સરકારે તેની સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. 5 જજની બંધારણીય બેન્ચે આ મામલાની સુનાવણી કરી અને જુલાઈ 2016માં AAP સરકારની તરફેણમાં ચુકાદો આપ્યો. કોર્ટે કહ્યું કે સીએમ દિલ્હીના કાર્યકારી વડા છે. લેફ્ટનન્ટ ગવર્નર મંત્રી પરિષદની સલાહ અને સહાય વિના સ્વતંત્ર રીતે કાર્ય કરી શકતા નથી.
  • આ પછી, સેવાઓ પર નિયંત્રણ જેવી કેટલીક બાબતો એટલે કે અધિકારીઓને બે સભ્યોની નિયમિત બેંચ સમક્ષ સુનાવણી માટે મોકલવામાં આવ્યા હતા. ચુકાદામાં બંને જજોનો અભિપ્રાય અલગ-અલગ હતો.
  • આ પછી મામલો 3 સભ્યોની બેંચ પાસે ગયો. તેમણે કેન્દ્રની માંગ પર ગયા વર્ષે જુલાઈમાં તેને બંધારણીય બેંચને મોકલી હતી.
  • બંધારણીય બેંચે જાન્યુઆરીમાં પાંચ દિવસ સુધી આ મામલાની સુનાવણી કરી હતી અને 18 જાન્યુઆરીએ પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. આજે કોર્ટ પોતાનો ચુકાદો આપશે.

Spread the love

Related posts

નૂંહમાં VHP યાત્રા મામલે મક્કમ, માત્ર જળાભિષેકની મંજુરી:પોલીસ 30 લોકોને લઈને નલહરેશ્વર મંદિરે જવા નીકળી, અયોધ્યાના સંતને અટકાવાયા; બજાર- સ્કૂલ બંધ

Team News Updates

કર્ણાટકમાં સિદ્ધારમૈયા CM, શિવકુમાર ડેપ્યુટી CM:ડીકેએ કહ્યું- પાર્ટીના હિતને ધ્યાનમાં રાખીને ફોર્મ્યુલા પર સહમત, સાંસદનાં ભાઈએ કહ્યું- હું ખુશ નથી

Team News Updates

નંદન નીલેકણીએ IIT મુંબઈને 315 કરોડનું દાન આપ્યું:કહ્યું-આ સંસ્થાએ મને ઘણું આપ્યું, દેશમાં કોઈપણ ઇન્સ્ટિટ્યૂટના પૂર્વ વિદ્યાર્થી તરફથી મળેલું આ સૌથી મોટું દાન

Team News Updates