News Updates
NATIONAL

મૃત્યુ પછી શરીરમાં શું ફેરફારો થાય છે ? જાણો શરીર સાથે જોડાયેલા કેટલાક રોચક તથ્યો

Spread the love

મૃત્યુ એક એવી વાસ્તવિકતા છે. જેનો દરેકને સામનો કરવો પડે છે. આ પૃથ્વી પર જન્મેલો કોઈ પણ જીવ તેનાથી બચી શકતો નથી. એવું કહેવાય છે કે જેણે જન્મ લીધો છે તેણે એક દિવસ મરવું જ પડશે, પછી ભલે ભગવાન પણ મનુષ્ય તરીકે અવતરે. આ તો મૃત્યુની વાત છે, હવે વાત કરીએ મૃત્યુ પછી શરીરમાં થતી પ્રવૃત્તિઓ વિશે.

મૃત્યુ સમયે ફેરફાર

વિજ્ઞાનીઓના મતે મૃત્યુની ક્ષણ એ છે કે જ્યારે મગજ કામ કરવાનું બંધ કરી દે અને હૃદયના ધબકારા અને શ્વાસ બંધ થઈ જાય, ડોક્ટરો તેને પોતાની ભાષામાં બ્રેઈન ડેડ કહે છે, જ્યારે સામાન્ય ભાષામાં તેને મૃત્યુ કહે છે. મગજના મૃત્યુ અંગે, તે જોવામાં આવે છે કે મગજનો ભાગ બ્રેઈનસ્ટેમને પ્રતિક્રિયા આપી રહ્યો છે કે નહીં. કાયદેસર રીતે મૃત્યુની ઘોષણા કરતા પહેલા આ તપાસ કરવામાં આવે છે. વ્યક્તિના મૃત્યુની પુષ્ટિ થયા પછી પણ શરીરમાં ઘણા ફેરફારો થાય છે.

મૃત્યુના 1 કલાકની અંદર ફેરફાર

મૃત્યુ પછી શરીરના તમામ સ્નાયુઓ શિથિલ થઈ જાય છે, જેને તબીબી ભાષામાં પ્રાઇમરી ફ્લેક્સિબિલિટી (primary flexibility)કહે છે. આનાથી પોપચાંનો તાણ ગુમાવે છે, આંખની કિકિ સંકુચિત થાય છે, જડબા ખુલે છે અને શરીરના સાંધા અને અવયવો ઢિલા બની જાય છે. સ્નાયુઓમાં તણાવ ઓછો થવાથી ત્વચા નિસ્તેજ થઈ જાય છે અને કાર્ડિયાક અરેસ્ટની મિનિટોમાં, પેલોર મોર્ટિસ(pelor mortis) નામની પ્રક્રિયા શરૂ થાય છે, જેના કારણે શરીર ફિક્કુ થઈ જાય છે કારણ કે ત્વચાની નાની નસોમાં રહેલી રક્તવાહિનીઓ ફૂલી જાય છે.

શરીર ઠંડુ થવા લાગે છે

શરીરનું સામાન્ય તાપમાન 37 સેલ્સિયસ (98.6 ફેરનહીટ) છે, મૃત્યુ પછી તે નીચે આવવાનું શરૂ કરે છે, જ્યાં સુધી તે આસપાસના વાતાવરણના તાપમાન સુધી પહોંચે નહીં. તેને અલ્ગાર મોર્ટિસ અથવા ‘ડેથ ચિલ’ તરીકે ઓળખવામાં આવે છે. પ્રથમ કલાકમાં તાપમાન 3 થી 2 ° સે અને ત્યાર બાદ દર કલાકે 1 ° સે ઘટે છે. માંસપેશીઓ શિથિલ થવાને કારણે શરીરમાંથી ઘણી વખત મળ અને પેશાબ બહાર આવી શકે છે.

2 થી 6 કલાકની વિવિધતા

મૃત્યુ પછી જ્યારે હૃદય કામ કરવાનું બંધ કરી દે છે અને લોહીને પંપ કરી શકતું નથી, ત્યારે ગુરુત્વાકર્ષણની ક્રિયા દ્વારા ભારે લાલ રક્ત કોશિકાઓ સીરમમાં ડૂબી જાય છે. આ પ્રક્રિયાને લીવર મોર્ટિસ કહેવામાં આવે છે,જે મૃત્યુના જે 20-30 મિનિટ પછી શરૂ થાય છે.આનાથી ત્વચાનો જાંબલી પડી જાય છે. મૃત્યુ પછીના ત્રીજા કલાકથી, શરીરના કોષોમાં રાસાયણિક ફેરફારોને કારણે, તમામ સ્નાયુઓ સખત થઈ જાય છે, જેને રીગર મોર્ટિસ કહેવામાં આવે છે. તેને મૃત્યુનો ત્રીજો તબક્કો કહેવામાં આવે છે. જેના કારણે મૃત શરીરના હાથ-પગ જકડવા લાગે છે. સૌથી સામાન્ય રીતે અસરગ્રસ્ત સ્નાયુઓમાં પોપચા, જડબા અને ગરદનનો સમાવેશ થાય છે. આ પછી ચહેરો અને છાતી, પેટ, હાથ અને પગને અસર થાય છે.

12 કલાક પછી શરીર બદલાય છે

કોષો અને આંતરિક પેશીઓમાં સતત રાસાયણિક ફેરફારોને કારણે, સ્નાયુઓ સંપૂર્ણપણે શિથીલ બની જાય છે. આ પ્રક્રિયા ગૌણ અસ્થિરતા તરીકે ઓળખાય છે. આ સમયે શરીરની ચામડી સંકુચિત થવા લાગે છે ,આ પછી શરીર પીગળવા લાગે છે.


Spread the love

Related posts

નોટોનું બંડલ મળ્યું રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદની સીટ નીચેથી,ગૃહમાં હંગામો

Team News Updates

રાજસ્થાનમાં PM બોલ્યા, કોંગ્રેસે વોટની રાજનીતિ કરી:કોંગ્રેસ ઈચ્છતી હતી કે કર્ણાટકમાં લોકોને ગોળી વાગે પણ અમે બચાવતા હતા

Team News Updates

22 રજવાડાઓમાંથી કેવી રીતે થઈ રાજસ્થાનની રચના?8 વર્ષ, 7 મહિના અને 14 દિવસનો લાગ્યો સમય

Team News Updates