News Updates
NATIONAL

જમ્મુ-કાશ્મીરમાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ, ત્રણ ઓફિસર સવાર હતા

Spread the love

જમ્મુ કાશ્મીરના કિશ્તવારમાં ભારતીય સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું છે. આ હેલિકોપ્ટરમાં કમાન્ડિંગ ઓફિસર સહિત ત્રણ ઓફિસર અને એક પાઇલટ સવાર હતા. હેલિકોપ્ટર કેવી રીતે ક્રેશ થયું, તેમાં સવાર ઓફિસરોનાં નામ શું હતાં, તે તમામ વિગતો મેળવાઈ રહી છે.

ધ્રુવ હેલિકોપ્ટર ચેનાબ નદીમાં પડ્યું
ભારતીય સેના દ્વારા આપવામાં આવેલી પ્રારંભિક માહિતી અનુસાર, સેનાનું ALH ધ્રુવ હેલિકોપ્ટર કિશ્તવાર જિલ્લામાં ક્રેશ થયું છે, જે ચેનાબ નદીમાં પડ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ હેલિકોપ્ટરમાં બે પાઇલટ અને એક કમાન્ડિંગ ઓફિસર હતા. રાહતની વાત એ છે કે આ દુર્ઘટનામાં કમાન્ડિંગ ઓફિસર સંપૂર્ણપણે સુરક્ષિત છે, જ્યારે પાઈલટને સામાન્ય ઈજા થઈ છે, જેને સારવાર માટે લઈ જવામાં આવી રહ્યો છે.

હેલિકોપ્ટર કેમ ક્રેશ થયું?
ભારતીય સેનાનું ALH ધ્રુવ હેલિકોપ્ટર કેવી રીતે ક્રેશ થયું તેની કોઈ માહિતી નથી. જો કે, એવું કહેવામાં આવી રહ્યું છે કે તેની પાછળનું એક કારણ હવામાન હોઈ શકે છે. હકીકતમાં, જમ્મુ-કાશ્મીરના ઘણા વિસ્તારોમાં છેલ્લા ઘણા દિવસોથી વાદળછાયું વાતાવરણ છે અને વરસાદ પણ થઈ રહ્યો છે. એટલા માટે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ખરાબ હવામાનના કારણે આ દુર્ઘટના બની હશે. જો કે હજુ સુધી સેના તરફથી કોઈ માહિતી આપવામાં આવી નથી.


Spread the love

Related posts

અમેરિકન પત્રકારે મુસ્લિમોના અધિકાર અંગે પૂછ્યો પ્રશ્ર, જાણો પીએમ મોદીએ શું આપ્યો જવાબ?

Team News Updates

નૂંહમાં VHP યાત્રા મામલે મક્કમ, માત્ર જળાભિષેકની મંજુરી:પોલીસ 30 લોકોને લઈને નલહરેશ્વર મંદિરે જવા નીકળી, અયોધ્યાના સંતને અટકાવાયા; બજાર- સ્કૂલ બંધ

Team News Updates

રાહુલના રીઅર-વ્યૂ મિરર સ્ટેટમેન્ટ પર ધનખડનો કટાક્ષ:ઉપરાષ્ટ્રપતિએ કહ્યું- પાછળના અરીસામાં પણ જોવું જરૂરી, તેમાં દેશને કલંકિત કરનારાઓ દેખાય છે

Team News Updates