News Updates
GUJARAT

ભગવાનનું હૃદય કાષ્ટની મૂર્તિમાં છે,જગન્નાથ પુરીનું મંદિર રહસ્યોથી ભરેલું છે

Spread the love

જગન્નાથ મંદિરની ટોચ પરનો ધ્વજ પવનની વિરૂદ્ધ દિશામાં ફરતે છે. અહીં પૂજારી છેલ્લા 1,800 વર્ષથી દરરોજ ધ્વજ બદલવા માટે મંદિરની ટોચ પર ચઢે છે. એવું માનવામાં આવે છે કે જો આ વિધિ એક દિવસ માટે પણ છોડી દેવામાં આવે તો મંદિર 18 વર્ષ સુધી બંધ રહેશે. આવા જ વધારે ફેક્ટ જાણવા માટે વાંચો આ અહેવાલ

અષાઢી બીજ નજીક છે, સૌવ જાણે છે કે પુરીમાં જગન્નાથ મંદિર ભવ્ય રથયાત્રા નિકળે છે. પુરી જગન્નાથ મંદિર ભારતના ચાર ધામ તીર્થસ્થાનોમાંનું એક છે. અન્ય ત્રણ ધામ બદ્રીનાથ, દ્વારકા અને રામેશ્વરમ છે. ઓડિશાના પુરીમાં દર વર્ષે લાખો ભક્તો ભગવાન જગન્નાથ મંદિરના દર્શન કરવા આવે છે. ભગવાન જગન્નાથ, જે ભગવાન કૃષ્ણનું સ્વરૂપ છે, તેમના મોટા ભાઈ ભગવાન બલભદ્ર અને નાની બહેન દેવી સુભદ્રા સાથે મંદિરમાં હાજર છે. આજે અમે તમને આ મંદિર સાથે જોડાયેલા કેટલાક મહત્વપૂર્ણ તથ્યો વિશે જણાવીશું, જેના વિશે જાણીને તમે આશ્ચર્યચકિત થઈ જશો.

  1.  મંદિરની ધજા પવનની વિરૂદ્ધ દિશામાં ફરકે છે. અહીં પૂજારી 1,800 વર્ષથી દરરોજ ધ્વજ બદલવા માટે મંદિરની ટોચ પર ચઢે છે. એવું માનવામાં આવે છે કે જો ધાર્મિક વિધિઓ એક દિવસ માટે પણ છોડી દેવામાં આવે છે, તો મંદિર 18 વર્ષ સુધી બંધ રહેશે. મંદિર 45 માળની ઈમારત જેટલું ઊંચું છે અને કોઈપણ સુરક્ષા સાધનો વિના ધ્વજ બદલવામાં આવે છે.
  2. જગન્નાથની મૂર્તિ કાષ્ટ બનેલી છે અને દર 12 કે 19 વર્ષે તેની કાષ્ટને વિધિપૂર્વક બદલવામાં આવે છે. આ માટે વિશિષ્ટતાઓ ધરાવતા પવિત્ર લીમડાના વૃક્ષોનો ઉપયોગ કરવામાં આવે છે. તેના પર કોતરકામ 21 દિવસ માટે પસંદ કરેલા સુથાર દ્વારા ગુપ્ત રીતે કરવામાં આવે છે. જ્યારે, જૂની મૂર્તિઓ વિધીવત . છેલ્લી નવકાલેવર વિધિ 2015માં થઈ હતી, જેને લાખો લોકોએ નિહાળી હતી.
  3. મંદિરની ખાસ વાત એ છે કે મંદિરનો પડછાયો પડતો નથી, ગમે તે સમયે જાવ પણ તેનો પડછાયો તમને જોવા મળશે નહીં.
  4. ભગવાન જગન્નાથને મહાપ્રસાદ પાંચ તબક્કામાં પીરસવામાં આવે છે અને તેમાં સૂકી મીઠાઈથી લઈને ‘શંખુરી’ ચોખા, દાળ અને અન્ય વસ્તુઓ સુધીની 56 સ્વાદિષ્ટ વાનગીઓનો સમાવેશ થાય છે. તે મંદિર પરિસરમાં જ આવેલા આનંદ બજારમાં ભક્તો માટે ઉપલબ્ધ છે.
  5. મંદિરની ખાસ વાત એ છે કે મંદિર ભલે દરિયા કિનારે આવેલું હોય પણ જેવા તમે મંદિરમાં પ્રવેશો છો કે તરત દરિયાનો અવાજ સંભાળાતો બંધ થઇ જાય છે. પૌરાણિક કથા અનુસાર, દેવી સુભદ્રા ઈચ્છતી હતી કે મંદિર શાંતિનું સ્થાન બને અને તેમને પ્રસન્ન કરવા માટે મંદિરમાં સમુદ્રની લહેરોનો અવાજ સંભળાશે નહીં.
  6. મંદિર ઉપર કોઈ પક્ષી, વિમાન પણ ઉડી શકતું નથી. મંદિરની ટોચ પર કોઈ પક્ષી પણ બેઠેલું દેખાતું નથી. આ માટે કોઈ તાર્કિક સમજૂતી નથી.
  7. મંદિરની ટોચ પર એક ટન વજનનું ‘ભાગ્ય ચક્ર’ મૂકવામાં આવ્યું છે. ચક્ર વિશે હકીકત એ છે કે તે પુરીમાં કોઈપણ ખૂણા અથવા ઊંચાઈ પર સમાન દેખાશે.
  8. તે એક કુદરતી ઘટના છે કે દિવસ દરમિયાન પવન સમુદ્રથી જમીન તરફ અને સાંજે જમીનથી સમુદ્ર તરફ વહે છે. પરંતુ પુરીમાં તેનાથી વિપરીત થાય છે.
  9. દર વર્ષે લાખો ભક્તો રથયાત્રા દરમિયાન મંદિરની મુલાકાત લે છે અથવા ભગવાન જગન્નાથના દર્શન કરે છે. દરરોજ સમાન માત્રામાં ખોરાક રાંધવામાં આવે છે. કોઈપણ ખોરાકનો ક્યારેય બગાડ થતો નથી અને કોઈ ભક્ત ભૂખ્યો રહેતો નથી.

Spread the love

Related posts

RAJKOT: CRIME BRANCH પીઆઈ વાય.બી. જાડેજાની બદલીનું આ હોય શકે છે કારણ !!

Team News Updates

મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કારણે હિમવર્ષા-વરસાદની સર્જાશે સ્થિતિ, જાણો ગુજરાત સહીતના આ રાજ્યોમાં કેવુ રહેશે હવામાન

Team News Updates

બજેટમાં 8 શહેરોને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની કરી જાહેરાત

Team News Updates